Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લીધે કરમાઈ ગયેલાં કમળના જેવાં નેત્ર તથા સુખને નીચું કરીને બેસી ગઈ. તેનું મુખ ગરીષ માણસના જેવું શાકાચ્છાદિત ( દીલગીરીથી છવાઇ ગયેલું ) ઉદાસીન થઇ ગયું તે માનસિક દુ:ખાથી ઘેરાયેલી શેાકના સાગરમાં ડૂબી જવાથી આ ધ્યાનપરાયણા હતી. ( ૧૪ )
‘ સેળ વાઢેળ ’ઈત્યાદિ.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યો. દેવતા તથા મનુષ્યની સભામાં ભવ્યાને ધર્મ દેશના દેવા લાગ્યા. ધર્મકથા સાંભળવા માટે પરિષદ નીકળી ભગવાન અહીં પધાર્યાં છે એવા વૃતાન્ત સાંભળી કાઢી રાણીના મનમાં વક્ષ્યમાણ-આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા. (૧૫)
તે વિચાર આ છે: एवं खलु ’ ઇત્યાદિ—
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ અહીં પધાર્યા છે તથા સંચમી લેાકેાના પને અનુસરી નિવાસને માટે ઉદ્યાનપાલની (વાડીના પાલક કે માળીની ) આજ્ઞા લઈને સંયમ તથા તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા બિરાજે છે. તથા રૂપ અરિહંત અર્થાત્ સર્વજ્ઞતાના કારણે જેનાથી કોઇ વાત અજાણી નથી અને સંપૂર્ણ ઐશ્વર્યના કારણેજ ભગવાન છે. તેમનાં વમાન આદિ નામ તથા કશ્યપ આદિ વગેરે ગાત્રને સાંભળવાથી શુભ પરિણામ સ્વરૂપ મહાલ થાય છે—તા સમ્મુખ જવું, ગુણનું કીર્તન કરવું, તથા પાંચ અંગાનેયતનાપૂર્વક નમાવીને નમસ્કાર કરવા, શરીર આદિ વગેરેની સુખ-સાતા પૂછવી તથા ભગવાન ત્યાગી હાવાથી સાવદ્યના પરિહાર પૂર્વક તેમની નિરવદ્ય સેવા કરવી એ બધાંનું શું ફળ હાય તેનું તેા કહેવુંજ શું ?
તેમનાં વચનનાં આચાર અને તેમનાં એક પણ શ્રેષ્ઠ શ્રુત ચારિત્ર ધર્મ યુક્ત તથા સમસ્ત પ્રાણિઓનું હિતકારી સુચવન સાંભળવાથી જે મહાફળ મળે છે તે તેમના વિપુલ શ્રુત ચારિત્ર રૂપી જે અર્થ છે તેનાં ગ્રહણ કરવાનાં ફળનું તે કહેવુંજ શું? તે ફળ તા અકથનીય છે. આથી હું શ્રમણુ ભગવાન મહાવીર પ્રભુની પાસે જાઉં તથા તેમને વંદન નમસ્કાર કરૂં, સત્કાર સમ્માન કરૂં જે કલ્યાણ સ્વરૂપ છે. મંગલ સ્વરૂપ છે ધૈવત અર્થાત્ ઈષ્ટ દેવ છે તથા ચૈત્ય—જ્ઞાનસ્વરૂપ છે તે પ્રભુની વિનયપૂર્વક ઉપાસના કરેં.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૬