Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૈહલ્યકા વૈશાલી નગરીમેં જાના
ત્યાર પછી કૃણિક રાજા તરફથી વારંવાર હાથી તથા હારની માગણી થતાં વૈહલ્થ પોતાના મનમાં વિચાર કરે છે કે આ કૂણિક રાજા મારા ઉપર ખાટા દોષ લગાડીને મારા સેચનક ગંધ હાથી અને હાર મારી પાસેથી પડાવી લેવા માગે છે. માટે એજ વાજખી છે કે જ્યાં સુધી કૂણિક મારી પાસેથી તે હાથી અને હાર ન પડાવી લીએ તે પહેલાંજ સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળે હાર તથા અંત:પુર પરિવાર સહિત ઘરની તમામ વસ્તુઓ લઇને ચંપાનગરીથી નીકળીને મારા નાના ચેટક રાજાની પાસે વૈશાલી નગરીમાં જઈને રહું. એમ વિચારી કરીને પછી તે વૈહત્સ્યકુમાર રાજા કૂણિકની અનુપસ્થિતિ-ગેર હાજરીની રાહ જોતા રહ્યા કરે છે.
ત્યાર પછી તે વૈહય કુમાર એક સમય કૃણિક રાજાની ગેરહાજરી જોઈ પાતાના અંત:પુર પરિવારની સાથે સેચનક હાથી, અઢાર સર વાળા હાર અને તમામ પ્રકારની ગૃહ સામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી વૈશાલી નગરીમાં આ ચેટકની પાસે પહોંચી રહેવા લાગ્યા. (૪૦)
ચેટક-કૂણિકકા દૂત દ્વારા સંવાદ
તત્ત્વ છે જ્રનિલ' ધૃત્યિાદિ.
ત્યાર પછી જ્યારે આ સમાચારની રાજા કૂણિકને ખબર પડી ત્યારે તેણે વિચાર કર્યો કે વહેલ્થ કુમાર મને કંઈ પણ કહ્યા—સાંભળ્યા વગરજ પેાતાના અંત:પુર પરિવાર સહિત સેચનક ગંધ હાથી, અઢાર સરના હાર અને તમામ પ્રકારની ગૃહસામગ્રી લઇને રાજા આર્ય ચેટકની પાસે જઇને રહ્યો છે. આ કારરણથી મારે માટે ચેાગ્ય છે કે દૂત મોકલીને સેચનક ગદ્ય હાથી અને અઢાર સરને હાર મંગાવી લઉ. એવા વિચાર કરી દૂતને ખેલાવી આમ તેને કહે છેહે દેવાનુપ્રિય ! વૈશાલી નગરીમાં મારા નાના ચેટકની પાસે તું જા. તેની પાસે જઈ હાથ જોડીને જય-વિજ્ય શબ્દથી રાજાને વધાવીને આ પ્રકારે કહે જે—હે સ્વામિન્! રાજા કૂણિક આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે-મને કાંઈ પણ કહ્યા વગરજ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૬૨