Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્મકુમારકાવર્ણન
કલ્પાવતસિકા નામનો દ્વિતીય વર્ગ “નફો મારે' ઇત્યાદિ.
હે ભદન્ત! જે મેક્ષ પ્રાપ્ત થવણભગવાન મહાવીરે નિરયાવલિકા નામે ઉપાંગના પ્રથમ વર્ગમાં પૂર્વોક્ત અભિપ્રાયનું વર્ણન કર્યું છે તે ત્યાર પછી તેમણે બીજા વર્ગ કલ્પાવતંસિકામાં કેટલા અધ્યયનું વર્ણન કર્યું છે?
શ્રી સુધર્મા સ્વામી કહે છે –
હે જણૂશ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવર્તાસિકામાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેમનાં નામ આ પ્રમાણે છે –
(૧) પદ્મ (૨) મહાપ (૩) ભદ્ર (૪) સુભદ્ર (૫) પદ્મભદ્ર (૬) પદ્યસેન (૭) પદ્મગુલ્મ (2) નલિની ગુલ્મ (૯) આનંદ અને (૧૦) નંદન.
જખ્ખ સ્વામી પૂછે છે –
હે ભગવન ! શ્રમણ ભગવાન મહાવીરે કપાવલંસિકામાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેના પ્રથમ અધ્યયનમાં ક્યા ભાવનું નિરૂપણ કર્યું છે?
સુધર્મા સ્વામી કહે છે –
હિં જમ્બ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર ચિત્ય હતો. તે નગરીમાં કૃણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી, તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની પત્ની મહારાજ કુણિકની નાની માતા કાલી નામની રાણી હતી જે અત્યંત સુકુમાર હતી તે રાણુને એક કાલકુમાર નામને પુત્ર હતું, તે કાલકુમારની પત્ની પદ્માવતી દેવી જે બહુ સ્વરૂપ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૭૫