Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા નિર્ચન્થીઓને ખમાવીને સ્થવિરેની સાથે ધીરે ધીરે વિપુલગિરિ પર ચડયા અને ત્યાં વિધીસર પાદપપગમન સંથારે સ્વીકાર કરી મરણની ઈચ્છા વગર રહેવા લાગ્યા, તથા તે પા અનગાર સ્થવિરની પાસે અગીયાર અંગોનું અધ્યયન કર્યું અને પૂરા પાંચ વર્ષની દીક્ષા પર્યાય પાળી.
એક મહિનાની સંખનાથી સાઠ ભક્તનું છેદન કરી અનુક્રમે કાલને પ્રાપ્ત થયા. તેમના કાલ પ્રાપ્ત કર્યા પછી સ્થવિર લેક તે પદ્ધ અનગારના ભપકરણ લઈને ભગવાનની પાસે આવ્યા. તેને આવ્યા પછી ગૌતમે ભગવાનને પૂછ્યું ભગવદ્ ! આ પદ્ધ અનગાર કોલ કરીને કયાં ગયા?
ભગવાને કહ્યું છે ગૌતમ! પદ્ધ અનગર પૂર્વોક્ત પ્રકારે એક મહિનાને સંથારે કરી તથા આચિત પ્રતિક્રાત થઈ અર્થાત્ આત્મશુદ્ધિ કરી કાલને અવસરે કાલ પ્રાપ્ત થઈ ચંદ્રમાની ઉપર સૌધર્મ કલ્પમાં બે સાગરની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા.
હે ભદન્ત ! તે પદ્યદેવ દેવસબંધી આયુ, ભવ સ્થિતિને ક્ષય થઈ ગયા પછી દેવકથી અવીને કયાં જશે?
હે ગૌતમ! તે દેવલોકથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞની રીતે સમૃદ્ધ કુલમાં જન્મ લઈ સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે.
હે જબ્બ ! આ પ્રકારે મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવર્તાસિકાના પ્રથમ અધ્યયનનું આ ભાવ નિરૂપણ કર્યું છે. જે ૨
પ્રથમ અધ્યયન સમાસ.
શ્રી નિરયાવલિકા સૂત્ર