Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૈહલ્યકાગબ્ધહાથી પર ચઢકર કીડાકરના
તળે ચંપાઈ'ઈત્યાદિ.
તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાને પુત્ર, રાણુ ચેલાને આત્મજ (દીકર) રાજા કુણિકના સહોદર નાનાભાઈ વેહલ્ય નામે કુમાર હતો કે જે સુકુમાર અને સુરૂપ હતો.
તે વહલ્ય કુમારને રાજા શ્રેણિકે પિતાની જીવિત અવસ્થામાં સેચનક નામને ગંધહાથી તથા અઢાર સરવાળે હાર દીધો હતો. એક દિવસ તે વૈહલ્યકુમાર સેચનક ગંધહાથી ઉપર ચડીને પોતાના અંત:પુર પરિવાર સાથે ચંપાનગરીના મધ્યભાગમાં થઈને નીકળે, નીકળીને વારંવાર ગંગાનદીમાં સ્નાન કરવા માટે ઉતર્યો ત્યાર પછી તે સેચનક હાથી વૈવલ્યની રાણીઓને પોતાની સૂંઢમાં પકડીને તેમાંથી કેઈ–એકને પોતાની પીઠ ઉપર રાખે તો કોઈને કાંધ ઉપર, કેઈને કુંભ સ્થળ ઉપર રાખે તો કોઈને પિતાના માથા ઉપર, અને એ પ્રમાણે કોઈને પિતાના દંતશળ ઉપર રાખે તો કોઈને સૂંઢથી પકડીને ઉપર આકાશમાં લઈ જાય આવી રીતે કોઈ-એકને સુંઢમાં દબાવીને હીંચકા ખવરાવે, કોઈને પિતાની દંતશૂળની વચમાં અધરથી રાખી લે તથા કઈ એકને પિતાની સૂંઢમાંથી નીકળતા કુંવારા વડે સ્નાન કરાવે, એમ કેઈને અનેક પ્રકારની ક્રીડાઓથી સંતુષ્ટ કરે છે.
આ હકીકત આખા ગામમાં ફેલાઈ ગઈ તથા ઘણાં મનુષ્ય ગલિઓ સડકો આદિ અનેક ઠેકાણે ઠેકાણે પિત પિતામાં આવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા-હે દેવાનુપ્રિયે ! હલ્ય કુમાર સેચનક ગંધ હાથી દ્વારા અંતઃપુર પરિવાર સહિત અનેક પ્રકારની કીડા કરે છે. ખરી રીતે રાજ્યશ્રીને ઉપગ તે હલ્ય કુમારજ કરે છે-નહિ કે રાજા કૂણિકા
શ્રી નિરયાવલિકા સૂત્ર