Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ઉપરોક્ત પાંચ કારણે કેવળી ઉદયમાં આવેલા પરીષહ અને ઉપસર્ગને સમ્યક પ્રકારે અવિચલ ભાવે સહન કરે છે, ક્ષમા રાખે છે, તિતિક્ષા રાખે છે અને તેનાથી પ્રભાવિત થતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરીષહ-ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરવા માટેની છદ્મસ્થ અને કેવળીની પાંચ પ્રકારની શ્રેષ્ઠ વિચારધારા પ્રગટ કરી છે અથવા શ્રમણોને પરીષહ અને ઉપસર્ગ સહન કરવા માટે વિચારણા રૂપે માર્ગદર્શન પ્રસ્તુત કર્યું છે.
પૂર્વકૃત કર્મના ઉદય સાધકને ઉપસર્ગ કે પરીષહનો સંયોગ થાય ત્યારે તે વસ્તુ સ્વરૂપને સમજીને પોતાના પૂર્વકૃત કર્મોદયનો વિચાર કરી અને સમ્યક પ્રકારે સહન કરવાના સુપરિણામને ચિંતન સામે રાખી, જો સહન કરે તો તે અનંતકર્મોની નિર્જરા કરે છે.
આ રીતે બંને સૂત્રોમાં સાધકોને પૂર્વકૃત કર્મો ભોગવવાની અને તપ, સંયમ અને નિયમ સંબંધી કષ્ટોને સમભાવે સહન કરવાની સમ્ય રીતે સમજાવી છે.
તે ઉપરાંત મહાપુરુષોનું અનુકરણ સામાન્ય જન કરતા હોય છે. સામાન્ય સાધકોને પ્રેરણા મળે તે આશયથી કેવળી ભગવાન પણ ઉપસર્ગ પરીષહને સમભાવે સહન કરે છે.
અહીં કેવળી શબ્દથી શ્રતકેવળી, અવધિજ્ઞાની અને મન:પર્યવ જ્ઞાની વગેરે વિશિષ્ટ જ્ઞાની પુરુષનું ગ્રહણ થાય છે, તેમ ટીકાકારે નિર્દેશ કર્યો છે. કેવળજ્ઞાનીને વેદનીય કર્મજન્ય ૧૧ પરીષહ હોય છે અને તે પરીષહના સમયે કેવળજ્ઞાની તેને સંપૂર્ણ સમભાવે જ સહન કરે છે. કેવળીને સહન કરવા માટે સૂત્રોક્ત કોઈ પણ વિચારધારા કે ચિંતન હોતું નથી. વિચાર કે ચિંતન મનથી થાય છે. કેવળીને ક્ષાયિક જ્ઞાન-કેવળ જ્ઞાન હોવાથી વિચારણાઓ-ચિંતનિકાઓ હોતી નથી. કેવળી ભગવાન કોઈપણ પરિસ્થિતિમાં પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ સ્થિર હોય છે. તેથી અહીં કેવળી શબ્દથી શ્રુતકેવળી આદિનું ગ્રહણ છે તેમ સમજવું. સૂત્રોક્ત પાંચ-પાંચ પ્રકારની વિચારધારા ભાવાર્થથી સ્પષ્ટ છે. સદ્દ હમ.. - આ શબ્દો એકાર્થક જેવા લાગે છે તેમ છતાં તેમાં આ પ્રમાણે ભિન્નતા છે–સહ૬ = કાયાથી હિંમત રાખી સહન કરે, હાય-વોય કે અધીરતા ન કરે. તુમ = મનથી ક્ષમા કરે, મનમાં પણ ક્રોધ ન કરે. તિજ = નિર્જરાર્થે સહન કરે અને સમભાવમાં રમણ કરે. દિયા તે = આનંદાનુભૂતિ અને ઉત્સાહ સાથે સહન કરે.
આચ્છિવ = આંચકી લે છે, અલ્પછેદન કરે છે. વિચ્છિત = વિશેષ છેદન કરે છે, વિશેષ પ્રકારે છીનવી લે છે.fધવ = તોડફોડ કરે છે, વિનષ્ટ કરે છે. અવર = અપહરણ કરે છે, લઈ જાય છે.
હિવત્ત = ખેદથી ઉન્માદને પ્રાપ્ત, વિક્ષિપ્ત ચિત્તવાળો, પિત્તપિત્ત = હર્ષથી ઉન્માદ પ્રાપ્ત, પાગલ. નજહાદ્દે = યક્ષાવિષ્ટ, ભૂત-પ્રેતથી બાધિત.
પરીવહોવસા = પરીષહ- સંયમી જીવનના, નિયમોનું પાલન કરતાં કર્મ નિર્જરાર્થે જે