Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
કોરનું ઈહ આણકંખી પંડિએ અણિહે
સનેહ-લાગણ–પ્રેમ એ બધાં એટલા સુવાળા શબ્દો છે. કે શબ્દના ઉચ્ચારણ માત્રથી કેટલાંક તે ઢીલા–પિચા થઈ જાય છે. આ જગતમાં અત્યારે સૌથી અધિક વ્યભિચાર જે કોઈને પણ થતું હોય તે તે નેહ-લાગણી અને પ્રેમ શબ્દને–
વિપરીત ઉપયોગ–ખરાબ ઉપગ-દુરૂપયોગઅયોગ્ય વ્યકિત દ્વારા અયોગ્ય રીતે તે ઉપયોગ તે વ્યભિચાર
ઉઘાડે છોગે-ધોળે દિવસેખુલ્લે હૈયે સૌ કોઈ નેહ લાગણું અને પ્રેમ શબ્દને વ્યભિચાર કરી રહેલ છે. જે પદાર્થને દુરૂપયોગ થાય તેનું મહત્વ ઘટી જાય. તેમ સ્નેહ– લાગણું અને પ્રેમ શબ્દને એટલે દુરૂપયોગ થયો છે કે તેનું મહત્વ ઘટી ગયું છે. છતાં માનવ તેને મેહક રૂપમાં ફસાઈ જાય છે. સ્નેહ-લાગણી–પ્રેમ એ કઈ પરિચયથી પેદા થનાર ચીજ છે? છતાં જ્યારે હૈયામાં રહેલી વાસનાઓ વિફરે છે. ત્યારે વાસના સુંવાળું રૂપ લઈને કહે છે–તારામાં કયાં કઈ વિકૃત ભાવના છે. નિઃસ્વાર્થ સ્નેહ-નિઃસ્વાર્થ પ્રેમ છે.
સૂર્ય પૂર્વને પશ્ચિમમાં ઉગે તે પણ સંસારમાં નિઃસ્વાર્થ સ્નેહ હોય નહિ. સ્નેહ-લાગણી પ્રેમ જ્યાં કંઈક પિતાને સ્વાર્થ સિદ્ધ થતો હોય ત્યાં જ પેદા થાય છે. આપણી ખુશી માટે કોઇની સાથે સાથે વર્તાવ કરો.આપણે ખુશી માટે કેઈના પર વેચ્છાવર થઈ જવું આપણી ભાવનાની પૂર્તિ માટે કેઈને સમર્પણ થઈ જવું શું આ નિઃસ્વાર્થ એહના લક્ષણ છે?