________________
૫૦૨
અધ્યાત્મ સાર.
ભાવાથ અપરાધી એવા જીવાને અધકત્તાં ઇશ્વર નથી. કારણ કે, ઇશ્વરને તેના અંધકર્તાપણાની અવસ્થાથી અમ ધનીય એવા આત્માને વિષે પ્રવૃત્તિ નથી. એટલે આત્માને સ્વભાવેજ બંધની નિવૃત્તિ છે; તેથી ઇશ્વરને કર્તાપણું ઘટતુ' નથી. ૧૬૮
તે વાત સ્પષ્ટ રીતે સમજાવે છે.
तत्त्वज्ञान प्रवृत्त्यर्थे ज्ञानवनोदना धुवा । पूर्वकार्येषु स्पद्मादौ तददर्शनात् ।। १६ ।।
ભાવા—જે જ્ઞાનવતની પ્રેરણા છે, તે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિને અર્થે ધ્રુવ છે. કારણ કે, અબુદ્ધિ પૂર્વક કાર્યને વિષે સ્વપ્નાક્રિકમાં તે દેખાતુ નથી. ૧૬૯
વિશેષા—જ્ઞાની પુરૂષ જ પ્રેરણા કરે છે, તે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિને અર્થે છે; એટલે જ્ઞાની પુરૂષની પ્રેરણા તત્ત્વજ્ઞાનની પ્રવૃ ત્તિને માટેજ હાય છે, જે સ્વપ્ન વગેરે અબુદ્ધિપૂર્વક કાર્યાં છે, તેને વિષે એ જ્ઞાનની પ્રેરણા કાંઇ દેખાતી નથી. તે ઊપરથીજ સિદ્ધ થાય છે કે, તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિને અર્થેજ જ્ઞાની પુરૂષની પ્રેરણા છે. ૧૬૯
ભવ્યતાને લઇને પ્રાણીની કેવી પ્રવૃત્તિ થાય છે ?
तथा जन्यतया जंतुनों दितश्च प्रवर्त्तते ।
बन पुण्यं च पापं च परिणामानुसारतः ॥ १७० ॥