________________
વપરાતી એકેએક ઈંટ ગુર્જર રાષ્ટ્રના પાયાને પણ પોલાદી બનાવવાનું કાર્ય કરશે ને સામ્રાજ્યનાં આપનાં સ્વપ્ન સાકાર થશે. | વનરાજની શોધ સફળ થઈ. ભરવાડ અણહિલ્લની ભાવના-સૃષ્ટિ સફળ થતાં એના આનંદનોય પાર ન રહ્યો.
વિ. સં. ૮૦૨ ના વૈશાખ સુદ બીજનો એ ધન્ય દિવસ હતો. જ્યારે વનરાજે અણહિલ્લપુર પાટણનો પાયો નાખવા દ્વારા જાણે ગુર્જર રાષ્ટ્રના એક મહાન સામ્રાજ્યનો પણ પાયો નાખ્યો અને થોડાંક જ વર્ષોમાં ગુજરાતનું ગૌરવ વધારે એવું એ નિર્માણકાર્ય પૂર્ણ થવા આવતાં અણહિલ્લપુરપાટણના સિંહાસન પર વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક મહોત્સવ એવી ભવ્યતાથી ઊજવાયો કે, શત્રુઓની આંખમાં વનરાજ એક કણાની જેમ ખૂંચ્યો, જ્યારે વનરાજની વય ૫૦ આસપાસની હતી અને વન-પ્રવેશની અણીએ આવીને ઊભી હતી.
રાજ્યાભિષેકનો પ્રસંગ રંગેચંગે ઊજવાયા બાદ વનરાજે પોતાના ઉપકારી ગુરુદેવ શ્રી શીલગુણસૂરિજીને સબહુમાન આમંત્રિત કરીને એમના ચરણમાં પોતાના સામ્રાજ્યનું સમર્પણ કરતાં કહ્યું : મહારાજ ! આ રાજય આપનું જ છે, પછી આપને સમર્પણ કરવાનો કોઈ સવાલ રહેતો નથી ! હું જ જ્યાં આપની કૃપાનું ફળ છું, ત્યાં આ રાજ્ય પર તો મારો અધિકાર ક્યાંથી હોઈ શકે ?
શ્રી શીલગુણસૂરિજીએ પોતાનો સાધુધર્મ આગળ કરીને કહ્યું : વનરાજ ! રાજ્યનો સ્વીકાર અમારાથી ન થઈ શકે. અમે તારી પાસે એક જ ઈચ્છા રાખીએ છીએ કે, જે પાર્શ્વનાથ-પ્રભુની પૂજા-ભક્તિના પ્રતાપે તું આ બધું પામ્યો છે, એમને ભૂલતો નહિ ને જીવનમાંથી ધર્મને દેશવટો દેતો નહિ.
વનરાજે પંચાસરમાંથી શ્રી પાર્શ્વનાથ-પ્રભુજીને અણહિલપુર પાટણમાં મંગાવીને નવા અતિ ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું, શ્રી શીલગુણસૂરિજીના વરદહસ્તે એ પાર્શ્વનાથ પ્રભુને એમાં પ્રતિષ્ઠિત કર્યા
૩૮ ૬ આબુ તીર્થોદ્ધારક