________________
મહેતા બોલતા બોલતા જરા અચકાઈ ગયા. એથી રાજાએ કહ્યું : અચકાવાની કોઈ જરૂર નથી મહેતા ! જે હોય, એ વિના સંકોચે કહી નાખો ને ?
“મહારાજ ! બોલતાં મારો જીવ ચાલતો નથી ને જીભ ઊપડતી નથી ! તાજ વિનાના રાજા તરીકે તો વિમલ પ્રખ્યાત જ છે. પણ આ મહેલ જોયા પછી મારા અંતરમાં એવી એક આશંકા ઘૂમરાય છે કે, વિમલને કોઈ તાજવાળો રાજા બનાવી દે, તોય નવાઈ નહિ!
ભીમદેવની આંખો આશંકાથી ઊભરાઈ ઊઠી, એમણે સણસણતો સવાલ કર્યો : કોઈ એટલે કોણ ? શું પાટણમાં મારી વિરુદ્ધ કોઈ કાવતરું રચાઈ રહ્યું છે? મહેતા! જે હોય, એ સાફ સાફ બોલી જાવ !
દામોદર મહેતાએ છેલ્લો દાવ નાખી દીધો : મહારાજ ! આપની વિરુદ્ધ કાવતરું, રચવા તો વળી ક્યું મગતરું, સમર્થ હોય ! પણ વિમલને દંડનાયકના પદ રૂપે જે સત્તા મળી છે, આ સત્તાના પ્રભાવે એમને જે લોકચાહના મળી છે અને જેના બળે એઓ આ મહેલ બનાવી શક્યા છે, એ જોતાં મને તો એમ ચોક્કસ જણાય છે કે, અંદરખાને એઓ “રાજદ્રોહનું કોઈ નાટક ભજવવાની તૈયારી કરતા હોવા જોઈએ નહિ તો વળી હાથી ઘોડા ભેગા કરવાની અને ચોકીપહેરાના બહાને તેના એકઠી કરવાની એમને કોઈ જરૂર ખરી? અને દંડનાયકના પદની રૂએ ચતુરંગી સેના તો એમની આજ્ઞા નીચે છે જ. રાજ્યનું વસૂલીખાતું પણ વિમલના હાથ નીચે છે. હવે આપ જ જરા ઊંડા ઊતરીને વિચારો કે, પાટણની ગાદી પર ચડી બેસતાં વિમલને રોકે એવું ક્યું બળ અસ્તિત્વ ધરાવે છે?
મહેતા ! હું સમજી ગયો ! બધું બરાબર સમજી ગયો ! હવે મને ખ્યાલ આવે છે કે, હું સાપને દૂધ પાવાની પ્રવૃત્તિ આજ સુધી હસતે હૈયે કરી રહ્યો હતો ! તમે મને સમયસર ચેતવ્યો. હવે જાગ્યા ત્યારથી જ સવાર ! વિમલની બધી પ્રવૃત્તિઓ પાછળ રહેલી મેલી મુરાદ હવે મને હથેળીમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ દેખાઈ આવે છે ! એણે મંત્રીશ્વર વિમલ 35 ૨૧૧