Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 281
________________ મૂળમાં વીશ માઈલની લંબાઈ અને આઠ માઈલની પહોળાઈ ધરાવતા આબુના ૧૨ માઈલની લંબાઈ ને ત્રણેક માઈલની પહોળાઈ ધરાવતા ઉપરના પાર્વતીય-વિસ્તારમાં એક કાળમાં બારેક ગામો વસેલાં હતાં, જેમાં જૈનોની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી, આજે એ ગામોનું અસ્તિત્વ છે, પણ જાહોજલાલી નથી. આબુ જેના કેન્દ્રમાં હોય, એવો જૈન-અજૈન ઇતિહાસ મોટા પ્રમાણમાં આજે પણ ઉપલબ્ધ છે. કાળના પંખેરુંઓની પાંખ જ્યાં પહોંચી શકે એવી નથી, એ યુગાદિ પ્રભુ શ્રી આદિનાથનો સમય આબુ સાથે જોડાયેલો છે. પ્રભુના પુત્ર ચક્રવર્તી શ્રી ભરતેશ્વરે આબુ પર ચાર દ્વારા ધરાવતું સુવર્ણ-ચૈત્ય બંધાવ્યું હતું. જૈન ઇતિહાસ મુજબ આબુને અર્બુદગિરિ આવું નામ આપવામાં ભરત ચક્રવર્તીનું એ સુવર્ણ ચૈત્ય નિમિત્ત બન્યું હતું, એ સુવર્ણ ચૈત્યમાં પ્રતિષ્ઠિત શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન ધરીને આત્મસાધના કરવા દશ ક્રોડ જેટલા સાધકો તપ કરતા હતા, દશ ક્રોડની સંખ્યા સંસ્કૃતમાં “અબ્દ' તરીકે ઓળખાતી હોવાથી, આ સાધનાની સ્મૃતિમાં આ ગિરિ અબુદાચલ' તરીકે ઓળખાવા માંડ્યો. અહીં કરેલી પૂજા વગેરે આરાધના દશ ક્રોડ ગણું ફળ આપનારી હોવાથી પણ આ ગિરિ અબુદાચલ' તરીકે પ્રખ્યાતિ પામતો ગયો. છમસ્યકાળમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા અબ્દ ભૂમિમાં વિચર્યા હોવાની વાતને શિલાલેખો અને શાસ્ત્રલેખોનું સમર્થન મળે છે, આના પ્રત્યક્ષ પુરાવાઓ તરીકે અબુદાચલની આસપાસનાં અનેક ગામોમાં આજેય અસ્તિત્વ ધરાવતાં શ્રી મહાવીર પરમાત્માનાં અનેકાનેક ભવ્ય તીર્થો ને મંદિરોને આગળ કરી શકાય ! શ્રી ભરત ચક્રવર્તીના મંદિરના સર્જન પછી આબુને તીર્થ તરીકે મળતી પ્રસિદ્ધિનો સ્થિતિકાળ તો ક્યાંથી આંકી શકાય ? પણ એટલું નક્કી છે કે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછીનાં કેટલાંય વર્ષો સુધી જૈન તીર્થ તરીકે આબુ પ્રસિદ્ધ રહ્યું હતું. પ્રભુજીની મંત્રીશ્વર વિમલ ૨૪૯

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306