Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 295
________________ શ્રી ભીમશ્રેષ્ઠીએ “પિત્તલહર' નું નિર્માણ કર્યું હોવું જોઈએ અને અમદાવાદથી સંઘ સાથે આબુ આવીને શ્રી આદિનાથ ભગવાન આદિ જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો હોવો જોઈએ. આ પછી વિ.સં. ૧૫રપમાં અમદાવાદના રાજા મોહમ્મદ બેગડાના મંત્રી શ્રી સુંદર અને શ્રી ગદાએ પિત્તલહર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને પૂ.આ.શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો. “ખરતરવસહી ની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૨૫ની સાલમાં થવા પામી. ત્રણ માળ ધરાવતું અને સૌથી વધુ ઊંચું આ જિનાલય ખરતર ગચ્છીય શ્રાવકો દ્વારા નિર્મિત છે અને ચૌમુખજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. સિલાવટો કા મંદિર' તરીકે પણ ઓળખાય છે. ૧૩૩ સ્તંભો અને ૪૭ મંડપોથી આ મંદિર સુશોભિત છે. આમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી આદિ જિનબિંબોની ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થવા પામી હતી. આમ, આજે વિમલવસહી, લૂણવસહી, પિત્તલહર, ખરતરવસહી તથા શ્રી મહાવીરસ્વામી જિનાલય : આ પાંચ પ્રમુખ મંદિરોથી મંડિત આબુતીર્થ વિશ્વવિખ્યાત છે અને અનેક ભાવિકોને તારક આલંબન પૂરું પાડી રહ્યું છે. આ તીર્થનો વહીવટ વર્ષોથી શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી (સિરોહી-રાજસ્થાન) દ્વારા થઈ રહ્યો છે. વિ. સં. ૨૦૦૭થી વિ. સં. ૨૦૧૯ સુધીના સમયગાળામાં શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી (અમદાવાદ) હસ્તક આબુમંદિરોનું જીર્ણોદ્ધાર-કાર્ય થવા પામ્યું, મંદિરની જૂની કોતરણી આદિને યથાવત્ જાળવી રાખીને આ જીર્ણોદ્ધાર થવા પામ્યો. તે સમયે મૂળનાયક ભગવંતો-પ્રતિમાજીઓ આદિને ચલિત કરવામાં આવ્યા. આ પછી વિ. સં. ૨૦૩૩ની સાલમાં પૂ. આચાર્યદેવશ્રી સુશીલસૂરીશ્વરજી મહારાજના સદુપદેશ દ્વારા આબુના મંદિરો પર ધ્વજ-દંડ ને કળશ સ્થાપન કરવાનું પેઢી દ્વારા નક્કી કરવામાં આવ્યું. મંત્રીશ્વર વિમલ ર૦ ૨૮૩

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306