Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan
View full book text
________________
ઊભરાઈ રહ્યો છે. ધર્મરત્નને મૂળનાયક રૂપે મંદિરોમાં પ્રતિષ્ઠિત બનાવીને, એના મંડપોમાં કળા અને શિલ્પનો સુભગ સંગમ સાધવાની કેવી ઉદારતા, કેવી સંસ્કારિતા અને કેવી સમર્પણ-ભાવના ગુજરાતની વણિક તરીકે વિખ્યાત જૈન આલમ ધરાવતી હતી, એનો આજેય સાક્ષાત્કાર કરાવતાં આબુનાં એ દહેરાં કુશળમાં પણ કુશળ કારીગરોનેય સ્તબ્ધ કરી દે, એવી કળાની કુટિર સમાં છે, આ કુટિરમાં પણ એટલી બધી સમૃદ્ધિ છે કે, એને રક્ષવા કુદરત પણ કિલ્લા તરીકેનું કર્તવ્ય દિનરાત ખડેપગે અદા કરવામાં ગૌરવ અનુભવી રહે છે.
વિમલવસહી અજોડ છે, કારણ કે એની છતો અને એના ઘુમ્મટોમાં આરસની જડતાને દાબી દઈને ઊપસી આવેલી આકૃતિઓ અને વ્યક્તિઓ જાણે સજીવ-ભાવની તરવરાટભરી વિવિધતા માણી રહી છે અને વર્તમાન યુગની શિલ્પ-દરિદ્રતા સામે હળવું હસી રહી છે, જેવા અંગમરોડ આજના નૃત્ય વિશારદો પણ ન લઈ શકે, એ જાતની અંગભંગીઓને પૂતળીઓના પાષાણમાં સજીવન બનાવનાર કલ્પનાશીલ અને ઊર્મિ-સમૃદ્ધ એ કાળનું શિલ્પકૌશલ્ય જ્યાં ડગલેપગલે નીરખવા મળે છે, એ ‘વિમલવસહી’ ગુજરાતના જૈન સ્થાપત્યોમાં જ નહિ, પણ ભારતભરનાં શિલ્પ-સ્થાપત્યોની સૃષ્ટિમાં મુકુટમણિ તરીકે શોભી રહ્યું છે.
વિમલવસહી એ કારણે પણ વિમલવસહી જ છે કે, આના સર્જન પછી આની સમકક્ષામાં પણ ઊભી શકે, એવું સ્થાપત્ય સર્જવાની ભક્તિ-શક્તિનું પ્રાગટ્ય જોવા-સાંભળવા મળતું નથી. આની પછી પાંચસો વર્ષ બાદ સર્જાયેલા તાજમહેલનો સર્જક એ કાળનો એક મહાસામ્રાજ્યનો માલિક હતો અને પોતાની પ્રિયતમાની સ્મૃતિ એમાં પ્રેરક હતી, છતાં એ તાજમાં એવું શિલ્પ કંડારી શકાયું નથી, કે જે વિમલવસહીની કળા-ચાતુરીની ચરણરજ તરીકેય શોભી શકે ! વિમલવસહી અને તાજની એક સુંદર સમાલોચના કરતી શ્રી રત્નમણિરાવ ભીમરાવે કુમાર માસિકમાં જે ઉદ્ગારો વર્ષો પૂર્વે રજૂ કર્યા છે, એનું
આબુ તીર્થોદ્વારક
૨૭૮

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306