SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભરાઈ રહ્યો છે. ધર્મરત્નને મૂળનાયક રૂપે મંદિરોમાં પ્રતિષ્ઠિત બનાવીને, એના મંડપોમાં કળા અને શિલ્પનો સુભગ સંગમ સાધવાની કેવી ઉદારતા, કેવી સંસ્કારિતા અને કેવી સમર્પણ-ભાવના ગુજરાતની વણિક તરીકે વિખ્યાત જૈન આલમ ધરાવતી હતી, એનો આજેય સાક્ષાત્કાર કરાવતાં આબુનાં એ દહેરાં કુશળમાં પણ કુશળ કારીગરોનેય સ્તબ્ધ કરી દે, એવી કળાની કુટિર સમાં છે, આ કુટિરમાં પણ એટલી બધી સમૃદ્ધિ છે કે, એને રક્ષવા કુદરત પણ કિલ્લા તરીકેનું કર્તવ્ય દિનરાત ખડેપગે અદા કરવામાં ગૌરવ અનુભવી રહે છે. વિમલવસહી અજોડ છે, કારણ કે એની છતો અને એના ઘુમ્મટોમાં આરસની જડતાને દાબી દઈને ઊપસી આવેલી આકૃતિઓ અને વ્યક્તિઓ જાણે સજીવ-ભાવની તરવરાટભરી વિવિધતા માણી રહી છે અને વર્તમાન યુગની શિલ્પ-દરિદ્રતા સામે હળવું હસી રહી છે, જેવા અંગમરોડ આજના નૃત્ય વિશારદો પણ ન લઈ શકે, એ જાતની અંગભંગીઓને પૂતળીઓના પાષાણમાં સજીવન બનાવનાર કલ્પનાશીલ અને ઊર્મિ-સમૃદ્ધ એ કાળનું શિલ્પકૌશલ્ય જ્યાં ડગલેપગલે નીરખવા મળે છે, એ ‘વિમલવસહી’ ગુજરાતના જૈન સ્થાપત્યોમાં જ નહિ, પણ ભારતભરનાં શિલ્પ-સ્થાપત્યોની સૃષ્ટિમાં મુકુટમણિ તરીકે શોભી રહ્યું છે. વિમલવસહી એ કારણે પણ વિમલવસહી જ છે કે, આના સર્જન પછી આની સમકક્ષામાં પણ ઊભી શકે, એવું સ્થાપત્ય સર્જવાની ભક્તિ-શક્તિનું પ્રાગટ્ય જોવા-સાંભળવા મળતું નથી. આની પછી પાંચસો વર્ષ બાદ સર્જાયેલા તાજમહેલનો સર્જક એ કાળનો એક મહાસામ્રાજ્યનો માલિક હતો અને પોતાની પ્રિયતમાની સ્મૃતિ એમાં પ્રેરક હતી, છતાં એ તાજમાં એવું શિલ્પ કંડારી શકાયું નથી, કે જે વિમલવસહીની કળા-ચાતુરીની ચરણરજ તરીકેય શોભી શકે ! વિમલવસહી અને તાજની એક સુંદર સમાલોચના કરતી શ્રી રત્નમણિરાવ ભીમરાવે કુમાર માસિકમાં જે ઉદ્ગારો વર્ષો પૂર્વે રજૂ કર્યા છે, એનું આબુ તીર્થોદ્વારક ૨૭૮
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy