________________
વિમલવસહી ના નિર્માણ પૂર્વે પણ આબુનું અસ્તિત્વ તો હતું જ ! પણ “વિમલવસહીએ અસ્તિત્વને વિશ્વ-પ્રસિદ્ધિ આપવામાં જે ફાળો આપી ગઈ, એ ફાળો હજી આજેય અપ્રતિમ જ રહ્યો છે.
આબુના દેલવાડા-અચલગઢ વિસ્તાર પાસે ઠીક ઠીક હિન્દુ મંદિરો છે, ગુફાઓ છે, શ્રાવણ-ભાદરવા અને નખી જેવાં તળાવો છે, કિલ્લાઓ અને કુંડો છે, આશ્રમો છે, ગુરુશિખર, દૂધવાડી, દેડકાકાર ખડકો, સનસેટ ને પાલનપુર જેવાં પોઈન્ટો તેમજ આવું નાનું-મોટું ઘણું ઘણું છે ! પણ આ બધું હોવા છતાં જો આબુના જમા ખાતે દેલવાડા અચલગઢનાં જૈનમંદિરો ન હોત, તો આ આબુ વિશ્વપ્રસિદ્ધ ન હોત ! આમ, આબુની વિશ્વપ્રસિદ્ધિનો પાયો “વિમલવસહી' આદિ અનેક જિનાલયોની એક શ્રેણી છે, એનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી ! આની કોરણી-કારીગરી અને શિલ્પવિષયક વિખ્યાતિ સાંભળ્યા બાદ આકર્ષિત બનીને આવતા અસંખ્ય યાત્રિકોના અંતરનો એકાદ પણ ખૂણો, પ્રશમરસને ઝરાવતી જિનપ્રતિમાઓના દર્શને અહોભાવ ધરાવીને નમ્ર બનતો જ હશે, અને આ પુણ્યનો પુરવઠો એના સર્જકો સુધી અવશ્ય પહોંચતો જ હશે ! કારણ કે આવા આશયની અનુમોદનાનું અનુસંધાન સર્જન અને સર્જક વચ્ચે, પાયાથી પ્રારંભીને પ્રાસાદ-શિખરની પૂર્ણાહુતિની પળો સુધી અખંડ રહેતું આવ્યું હોય, એ સુસંભવિત છે. - દૂધ જેવા ધવલ અને અત્યંત સૂક્ષ્મ કોતરણીને કારણે સ્ફટિક જેવા જણાતા જેના ઘુમ્મટોમાં સદૈવ વિકસિત પોયણાનાં અધોમુખી ઝૂમખાં મંડપે મંડપે ઝૂલી રહ્યાં છે, એ વિમલવસહી વિમલવસહી જ છે ! કારણ કે ભારતવર્ષીય સર્વોત્તમ શિલ્પકળાઓનું એ સંગમધામ છે. ગુજરાતના અમાપ ગૌરવને અને જૈનત્વની જ્વલંત જાહોજલાલીને ગાતું એ સંગીત ધામ છે. એનાં તોરણે-તોરણે, ગોખે-ગોખે, ખંભસ્તંભે ને મંડપે-મંડપે ભારતીય શિલ્પ, એક ગુર્જર વેપારીની ભગવદ્ભક્તિ-કેન્દ્રિત કલાપ્રિયતા અને તત્કાલીન શિલ્પ-કૌશલ્યનો વૈભવ મંત્રીશ્વર વિમલ 26 ૨૭૭