Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ કરાવવા પ્રવૃત્ત થયા હતા, એ ભૂમિનો એ દેવ હતો અને એની માન્યતા તેમજ શ્રદ્ધા વિપરીત હતી. એ માનતો હતો કે, જિન કોણ? જિન-પ્રાસાદ શું? અને વાણિયો વિમલ વળી મારી સામે શી વિસાતમાં? આવી મગરૂરી ધરાવતો વાલીના થોડા દિવસ સુધી તો એ દેવનગરીના પાયા પરના ચણતરની સામે ચેડાં કરવામાં સફળ રહ્યો, પણ જ્યાં વિમલે એક સિંહનાદ કરીને એને પડકાર્યો અને દેવીત્રયીની અકૃપાની વીજળીથી વિનાશની આગમાં સ્વાહા થઈ જવાની શક્યતા દર્શાવી, ત્યાં જ એની મગરૂરી મરી પરવારી. અંબિકા, પદ્માવતી અને ચક્રેશ્વરી : આ દેવીત્રયીની વિરાટ શક્તિથી વાલીનાહ પરિચિત હતો. એ સમજતો હતો કે, આ દેવી શક્તિ જ્યાં સુધી વિફરે નહિ, ત્યાં સુધી જ હું અહીં રહી શકવા સમર્થ છું. એથી આવી દૈવી શક્તિની કૃપા મેળવનારા દંડનાયક વિમલ આગળ પણ એ ટાઢો થઈ ગયો અને બીજી રાતે સમયસર વિમલ પર પ્રસન્નતા વરસાવવા હાજર થયો. મધરાત થતાં પૂર્વે જ ક્ષેત્રદેવતાને પ્રસન્ન કરવાની બલિ-બાકળાદિ પૂજા-સામગ્રી સાથે દંડનાયક વિમલ આવી પહોંચ્યા હતા. એમણે નિશ્ચિત સમયે પ્રાર્થના કરી : ઓ ક્ષેત્રદેવતાઓ ! આપને હાજર થવા હું વિનંતી કરું છું. આ ભૂમિના જે કોઈ અધિષ્ઠાયકો હોય, એ મારી વિનંતીને માન આપીને અહીં અવતરે ! કારણ કે આપ સૌને પૂજા-સામગ્રીથી પ્રસન્ન બનાવીને, મારે આ ભૂમિ પર દેવનગરીનું નિર્માણ કરવું છે.” થોડી જ પળોમાં આ વિનંતીનો જવાબ આપતાં ક્ષેત્રદેવતા વાલીનાહે કહ્યું : પૂજા લેવા હું મારા પરિવાર સાથે હાજર જ છું. દંડનાયક વિમલ ! પણ એટલું યાદ રાખજો કે, બલિ-બાકળા, ધૂપનૈવેદ્ય કે ફૂલ-ફળથી જ મને પ્રસન્ન કરવાની ભ્રમણામાં રાચતા હો, તો એ ભ્રમણાને ભગાડી મૂકજો. લોહી-માંસથી મને તર્પણ કરવાની તૈયારી હોય, તો જ આ વિધિને આગળ વધારજો ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૫૭

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306