________________
કરાવવા પ્રવૃત્ત થયા હતા, એ ભૂમિનો એ દેવ હતો અને એની માન્યતા તેમજ શ્રદ્ધા વિપરીત હતી. એ માનતો હતો કે, જિન કોણ? જિન-પ્રાસાદ શું? અને વાણિયો વિમલ વળી મારી સામે શી વિસાતમાં? આવી મગરૂરી ધરાવતો વાલીના થોડા દિવસ સુધી તો એ દેવનગરીના પાયા પરના ચણતરની સામે ચેડાં કરવામાં સફળ રહ્યો, પણ જ્યાં વિમલે એક સિંહનાદ કરીને એને પડકાર્યો અને દેવીત્રયીની અકૃપાની વીજળીથી વિનાશની આગમાં સ્વાહા થઈ જવાની શક્યતા દર્શાવી, ત્યાં જ એની મગરૂરી મરી પરવારી.
અંબિકા, પદ્માવતી અને ચક્રેશ્વરી : આ દેવીત્રયીની વિરાટ શક્તિથી વાલીનાહ પરિચિત હતો. એ સમજતો હતો કે, આ દેવી શક્તિ જ્યાં સુધી વિફરે નહિ, ત્યાં સુધી જ હું અહીં રહી શકવા સમર્થ છું. એથી આવી દૈવી શક્તિની કૃપા મેળવનારા દંડનાયક વિમલ આગળ પણ એ ટાઢો થઈ ગયો અને બીજી રાતે સમયસર વિમલ પર પ્રસન્નતા વરસાવવા હાજર થયો. મધરાત થતાં પૂર્વે જ ક્ષેત્રદેવતાને પ્રસન્ન કરવાની બલિ-બાકળાદિ પૂજા-સામગ્રી સાથે દંડનાયક વિમલ આવી પહોંચ્યા હતા. એમણે નિશ્ચિત સમયે પ્રાર્થના કરી :
ઓ ક્ષેત્રદેવતાઓ ! આપને હાજર થવા હું વિનંતી કરું છું. આ ભૂમિના જે કોઈ અધિષ્ઠાયકો હોય, એ મારી વિનંતીને માન આપીને અહીં અવતરે ! કારણ કે આપ સૌને પૂજા-સામગ્રીથી પ્રસન્ન બનાવીને, મારે આ ભૂમિ પર દેવનગરીનું નિર્માણ કરવું છે.”
થોડી જ પળોમાં આ વિનંતીનો જવાબ આપતાં ક્ષેત્રદેવતા વાલીનાહે કહ્યું : પૂજા લેવા હું મારા પરિવાર સાથે હાજર જ છું. દંડનાયક વિમલ ! પણ એટલું યાદ રાખજો કે, બલિ-બાકળા, ધૂપનૈવેદ્ય કે ફૂલ-ફળથી જ મને પ્રસન્ન કરવાની ભ્રમણામાં રાચતા હો, તો એ ભ્રમણાને ભગાડી મૂકજો. લોહી-માંસથી મને તર્પણ કરવાની તૈયારી હોય, તો જ આ વિધિને આગળ વધારજો ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૫૭