________________
નામ મોટા ! ને કામ તો એથીય મોટા !
દેવાલય કે દેવમૂર્તિના અધિષ્ઠાયક દેવતાની જેમ ભૂમિના પણ અધિષ્ઠાયક દેવતા હોય છે, જે ક્ષેત્રદેવતા તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રદેવતાઓ પણ માનવીની જેમ ઘણી વાર અમુક દર્શનો, અમુક ધર્મો કે અમુક માન્યતાઓથી કદાગ્રહિત બનેલા હોઈને, પોતાની શ્રદ્ધાથી વિપરીત વિચાર ધરાવનારાઓને એઓ સહાયક તો નથી જ થતા, પણ ઉપરથી સિતમગાર બનવામાં જ એઓ કૃતાર્થતા માનતા હોય છે.
વાલીનાહ આવો જ એક ક્ષેત્ર-દેવ હતો. દંડનાયક વિમલ જ્યાં આરસની નગરીનું નવનિર્માણ