________________
છક્કડ ખાઈ ગયા છે. એક નાનું બાળક પણ સમજી શકે, એવી વાતને સમજવામાં પંડિત ભીંત ભૂલે, ત્યારે તો માનવું જ પડે કે, પૂર્વગ્રહ-પ્રેરિત કોઈ ધારણાઓ-ભ્રાંતિઓના ભુલાવ્યા એઓ ભૂલતા હોવા જોઈએ !
પૂર્વભૂમિકાનો આટલો પાકો પાયો રચાઈ ગયા બાદ શ્રી સૂરાચાર્યજીએ મૂળવાતને રજૂ કરતાં કહ્યું કે, સ્યાદ્વાદ એક એવી અનિવાર્ય ચીજ છે કે, સંસારના વ્યવહારોમાં પણ એનો પ્રવેશ સૌ કોઈને માટે અનિવાર્ય છે. દા. ત. એક માણસમાં જગતની દૃષ્ટિએ વિરુદ્ધ ગણાતાં કેટકેટલાં સગપણો એકી સાથે રહી શકે છે ! એક માણસ પિતા અને પુત્ર પણ હોઈ શકે છે, મામો અને ભાણેજ પણ એ સંભવી શકે છે. શું આ સંબંધોના સમાવેશને કોઈ શંભુમેળો કહેવા તૈયાર છે ખરું? ના. કારણ કે એ દરેકેદરેક સગપણની સિદ્ધિ અલગ અલગ અપેક્ષાથી થાય છે. એથી જ વિરુદ્ધ સંબંધો પણ એ માણસમાં હળીમળીને રહી શકે છે. એ માણસ જે અપેક્ષાએ પિતા છે, એ જ અપેક્ષાએ પુત્ર નથી. જો એક જ અપેક્ષાએ પિતાપુત્રનો સંબંધ કોઈ એનામાં ઠોકી બેસાડવા માંગે, તો એ શંભુમેળો ગણાય, બાકી બીજી બીજી અપેક્ષાએ આવા વિરુદ્ધ સંબંધોનો કોઈ ઉલ્લેખ કરે, તો એ શંભુમેળો નહિ, સુમેળ-મેળો ગણાય ! જે “અપેક્ષા-તત્ત્વ' આમ વ્યવહારમાં ડગલે-પગલે અનિવાર્ય છે, એને જ જૈનદર્શને “સ્યાદ્વાદનું સાર્થક નામ આપ્યું છે. આ અપેક્ષાનો દૃષ્ટિકોણ બરાબર સમજી જવાય, તો એક ઘડામાં નિત્યત્વ-અનિત્યત્વ આ બે ધર્મોનો સુમેળ સમજાઈ જાય અને ઉપરથી એમ થાય કે, આવી અપેક્ષા વિના તો વસ્તુનું સ્વરૂપજ્ઞાન અધૂરું જ ગણાય અને એથી સ્યાદ્વાદ' વિના તો જ્ઞાનની ધરતી પર પગલું પણ આગળ ન વધી શકાય ! ઘડામાં નિત્ય તરીકેનો વ્યવહાર એની પુગલ-સ્થિતિની અપેક્ષાએ થાય છે, ઘડો નહોતો બન્યો ત્યારે પણ માટી હતી, ઘડો ફૂટી જશે, પછી પણ માટીનું સ્વરૂપ રહેવાનું જ છે. એથી “પર્યાય'ની આ અપેક્ષાએ ઘડો ફૂટી જતાં જે માટી ઘડાના આકારે પરિણમન પામી હતી, એ પરિણમન, એ મંત્રીશ્વર વિમલ ર૦ ૧૪૧