________________
દંડને બદલે દંડનાયકનું પદ
१०
પુણ્યોદય અને પુરુષાર્થનું જ્યારે બેવડું પીઠબળ હોય છે, ત્યારે માણસને ઘણી વાર એવી એવી અતાર્કિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જતી હોય છે કે, એ પ્રાપ્તિની પ્રક્રિયાનો પ્રત્યક્ષ દર્શક પણ આશ્ચર્યથી ઘેરાઈ જઈને પછીની પળોમાં એ પ્રત્યક્ષ દર્શન અંગે પણ અશ્રદ્ધા અને અચરજથી ભર્યાભર્યા અંતરે એમ વિચારતો હોય છે કે, શું આવું પણ બની શકે ખરું ? શું મારી આંખ મને દગો તો નહિ દેતી હોય ને ?
દામોદર મહેતાની મન:સ્થિતિ આવી જ હતી. કાલનો શસ્ત્રસ્પર્ધાનો પ્રસંગ એઓ ભૂલી શકતા ન