________________
સન્માની-સત્કારીને શેઠે જોશીને વિદાય કર્યા અને એ જ દિવસે વહેલ જોડાવીને શ્રીદત્ત શેઠે વિમલના મોસાળ તરફ પ્રયાણ કર્યું. થોડા જ સમયમાં એઓ ભટેવર ગામમાં પહોંચી ગયા. મેઘાશાહનું મકાન શોધતાં એમને વાર ન લાગી. વહેલમાંથી નીચે ઊતરીને એમણે પૂછ્યું : વીરમતિ અને વિમલ અહીં જ છે ને ? આ પ્રશ્નનો પડઘો ઘરમાં ઘૂમી રહ્યો, એ જ વખતે વીરમતિ, નેઢ અને વિમલ એક સાથે ઓરડામાં એકઠાં મળ્યાં હતાં અને વિમલ પોતાની પર પ્રસન્ન થયેલા અંબિકામાતાની પ્રસાદી રૂપે પ્રાપ્ત થયેલા અલંકારો દર્શાવી રહ્યો હતો. વીરમતિના શબ્દોનો એ ગુંજારવ ‘વસમી વેળાનાં વળામણાં હવે થયાં જ સમજો !' હજી શમ્યો નહોતો, ત્યાં તો વીરમતિના કાને પોતાના ભાઈનો સાદ અથડાયો : બહેન ! બહાર આવો, પાટણથી આવેલા શ્રીદત્ત શ્રેષ્ઠી તમને યાદ કરે છે.
વીરમતિના આશ્ચર્યનો પાર ન રહ્યો, કેટલાય વિચારો એના મનના ગુંબજમાં ઘૂમવા માંડ્યા. એણે બહાર આવીને શેઠને આવકા૨ આપતાં કહ્યું : આજે અમ ગરીબની ઝૂંપડી આપના પગલે મહેલ બની ગઈ ! પધારો, પધારો, ધન્ય ભાગ્ય અમારાં કે, આપનાં અહીં પગલાં થયાં !
:
નગરશેઠે સહર્ષ જવાબ વાળતાં કહ્યું ઃ હું તમને ધન્ય બનાવવા નથી આવ્યો, પણ તમારી પાસેથી ધન્યતા પામવા હું અહીં આવ્યો છું. ધન્યતાની ભિક્ષા એક તમે જ આપી શકો એમ છો, પાટણમાં જે ન પામી શક્યો, એ પામવા આ ગામડામાં આવ્યો છું. મને સંતોષશો ને ?
વીરમતિને હજી કંઈ સમજણ નહોતી પડતી કે, શેઠ શું પામવા આવ્યા હશે ! એથી એણે પોતાના કપાળે હાથ મૂકતાં કહ્યું કે, શેઠ ! આપ જેવા સમજુ અને શાણા જ્યારે અમારી આ રીતે મશ્કરી કરી રહ્યા છે કે, હું અહીં ધન્યતાની ભિક્ષા પામવા આવ્યો છું ! ત્યારે એમ લાગે છે કે, આની પાછળ કોઈ રહસ્ય હોવું જોઈએ. કારણ કે મંત્રીશ્વર વિમલ
૭૫