________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સ્વ અને પર પ્રકાશ કરે છે જ્ઞાન એ આત્માને પર્યાય છે અને તેમાં લોકાલોક વિલય પામે છે. (અર્થાત લોકાલોકને ભાસ થાય છે ).
ભાવાર્થ-વિજ્ઞાન એ આત્માને ધર્મ છે, સ્વપરપ્રકાશક જ્ઞાનગુણ છે. જે મતવાદિયો એક જ વસ્તુને સ્વીકાર કરે છે તેમનામાં ચામાવા#ારા વિશેષણ ઘટતું નથી. જડ અને ચેતન એ બેને સ્વીકાર કરતાં આ વિશેષણ ઘટી શકે છે. ગ્રીનગુણ પોતાના આત્માનો પ્રકાશ કરે છે પણ કોઈ એમ શંકા કરે કે જ્ઞાન ગુણ અન્યને ભલે પ્રકાશ કરે; કિંતુ પોતાના પ્રકાશ માટે અન્યની જરૂર પડવાની. જેના ઉત્તરમાં સમાધાન કરવામાં આવે છે કે, જ્ઞાન ગુણ પોતાનો સ્વયમેવ પ્રકાશ કરે છે, મતિજ્ઞાન આદિ પંચપ્રકાર જ્ઞાનના છે. જ્ઞાનના બે ભેદ પણ થાય છે. ક્ષયોપશમભાવીય જ્ઞાન, અને ક્ષાયિકભાવીય જ્ઞાન. ક્ષાયિક ભાવના જ્ઞાનને કેવલજ્ઞાન કહે છે, તે આવ્યું કદી જતું નથી. જ્ઞાનગુણનું વિશેષ વર્ણન અમરીયાત પરમાત્મદર્શન અને પરમમિત ગ્રંથમાં છે, તેથી વિશેષ જિજ્ઞાસુએ ત્યાંથી વિશેષ અધિકાર જોઈ લેવો. ગ્રંથગૌરવભયથી અત્ર સંક્ષિપ્તતઃ વિવેચન કરવામાં આવ્યું છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે અસંખ્યાત પ્રદેશ અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શગુણ જેનામાં હોય તેને રૂપી કહે છે. અને જેનામાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ હોતા નથી છતાં દ્રવ્ય તરીકે હોય છે, એવા પ્રદેશોને અરૂપી પ્રદેશો કહે છે. આત્માના એકેક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અનંતસુખ વગેરે અનંતગુણ રહ્યા છે. આત્માને એકેક પ્રદેશનું એક સમયનું જ્ઞાન છે તેમાં લોકાલોક ભાસે છે, આવી આત્માના જ્ઞાનગુણની શક્તિ છે. જ્ઞાનાવરણ છે તે ભાસવાની શક્તિ તિરોભાવે આત્માઓમાં રહે છે, અને જ્ઞાનાવરણનો ક્ષય થતાં ઉત્તમ જ્ઞાનશક્તિ આવિર્ભવે પ્રકાશે છે. જે આમાનો એક પ્રદેશ પણ એક સમયમાં સર્વ દ્રવ્યોના અને તગુણપર્યાયોનું તોલ કરી શકે છે તેજ આત્મા હું છું. કમવરણથી તે શક્તિ હાલ તિરોભાવે છે, પણ આવી અપૂર્વ શક્તિ પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઇએ. અનેક ભવ્ય જીવોએ ભૂતકાળમાં અનંતકેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ભવિષ્યમાં કરશે. જે જીવ મેહની દશાને નાશ જે જે અંશે કરે છે તેને તે તે અંશે જ્ઞાનગુણ પ્રગટ થાય છે. આત્માના મૂળ ગુણોની પ્રાપ્તિમાં મહનીયકર્મ વિહ્વ કરે છે. કારણ કે સર્વકર્મમાં મોહનીયકર્મ મુખ્ય છે. આમાને જડ વસ્તુમાં મુંઝાવનાર મેહનીય છે. તેનો નાશ થતાં અદ્ભુત ચારિત્રગુણ પ્રગટ થાય છે. આત્માના સર્વ ગુણ પતિ પોતાના સ્વભાવે સ્થિર રહે છે તેને ચારિત્ર કહે છે. શુદ્ધસ્વભાવમાં રમતા કરવી તેને નિશ્ચયનયની અપેક્ષાએ ચારિત્ર કહેવાય છે. આવું નિજ ગુણરમણતારૂપ ચારિત્ર છે તે આત્માનો સ્વાભાવિક
For Private And Personal Use Only