Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 276
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩પ ) ભાવાર્થ-જ્ઞાનિયોને મુખ્ય ભાગે આત્મતત્વની ચિન્તા રહે એ સ્વા ભાવિક છે. આત્માની જ્ઞાનાદિ શક્તિયોને ખીલવવા માટે જ્ઞાનિ પુરૂષો અનેક શુદ્ધ વિચારો કરે છે, જગતના આત્માનું શુભ ચિંતવે છે, આત્માઓનો ઉદ્ધાર કરવા અનેક પ્રકારના શુભ વિચારો ચલાવે છે. જ્ઞાનિયો જ્ઞાનના ગ્રન્થો રચીને જગતની ઉચ્ચસ્થિતિ કરે છે, તેઓ દુનિયાને સત્ય તરફ આકર્ષવા સદાકાળ પ્રયત્ન કરે છે, પોતાના આત્માને ક્ષણે ક્ષણે ઉચ્ચસ્થિતિ પર ચઢાવવા માટે અનેક પ્રયત્નો કરે છે. જ્ઞાનિયો આત્માના સ્વાભાવિક ગુણોનું ધ્યાન ધરે છે અને સમાધિનાં રસુખ પ્રાપ્ત કરે છે. અજ્ઞાનિયો તેથી ઉલટા વર્તે છે, તેઓ પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકતા નથી. બાહ્ય દ્રષ્ટિવડે જયાં ત્યાં ફર્યા કરે છે, ઉત્તમ સુખ પ્રતિ લક્ષ્ય રાખતા નથી, અનન્ત દુઃખથી મુક્ત થવાનો વિચાર કરી શકતા નથી, આ ભજ્ઞાન સંબંધી પુસ્તકોનું વાચન, મનન કરતા નથી. મધ્યમ પુરૂષોને શરીરની ચિન્તા રહે છે તેથી શરીર સુખમાટે સર્વ પ્રકારના પ્રયત્નો કરે છે, શરીર સંપત્તિમાંજ સર્વસ્વ માની લે છે, પાંચ ઈદ્રિયો સંબંધી સુખ પ્રાપ્ત કરવા સારૂ, મન, વચન અને કાયાનો ઉપયોગ કરે છે, પણ કંઈક આત્મતત્ત્વ સંબંધી રૂચિવાળા હોય છે, તેથી તેઓ તપ, જપ, દયા અને દાન, વગેરેનું સેવન કરે છે. મોહથી મૂઢ બનેલા અધમ પુરૂષોને તો રસદાકાળ ભોગની ચિન્તા રહે છે; ભોગરૂપ કાદવમાં ભડની પડે રાચી માચી રહે છે, આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં લયલીન રહી અનેક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિથી હિંસારનું સેવન કરે છે, અનેક પ્રકારની યુદ્ધની પ્રવૃત્તિ કરે છે, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ, વગેરેમાં મસ્ત રહે છે, મિથ્યાત્વ દશામાં લિપ્ત રહે છે. જગતમાં એમ, ઉત્તમ, મધ્યમ અને અધમ પુરૂષોનાં લક્ષણો જાણવાં. આત્મદ્રષ્ટિ વિના કદાપિ કાળે આત્મસુખ પ્રાપ્ત થતું નથી, માટે ઉત્તમ પુરૂષ થવું હોય તો આત્મદ્રષ્ટિ ધારણ કરવી જોઈએ; તેમ ન બનશે તો કઈ ઠેકાણે સુખ મળશે નહિ તે જણાવે છે. વા. ऊर्ध्वगच्छेदधोगच्छे-च्छुद्धदृष्टिपराङ्मुखः। तोपि शर्मनाप्नोति, स्वप्नमिष्टान्नभुक्तिवत् ॥ ९७ ॥ શબ્દા:-શુદ્ધ દૃષ્ટિ પરાડ મુખ મનુષ્ય, ઉચે જાય અગર નીચે જાય, તે પણ સ્વપમાં જોવાતા મિષ્ટાન્ન ભજનની પેઠે સુખ પામતો નથી. ભાવાર્થ:–આત્માના ગુણોમાં રમણતા કરવી અને આત્માને આત્મસ્વભાવેજ દેખો તેને શુક્રવૃષ્ટિ કહે છે. શુદ્ધદૃષ્ટિથી રહિત જીવ ભલે ઉચે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290