Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 284
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયેલા પગલે પગલે જીવોને હણે છે. તેવા મૂઢ પુરૂષો ચોરીનું કર્મ કરે છે, તેમજ વાણી વડે હડહડતું જૂઠું બોલે છે અને બુદ્ધિને ધારણ કરે છે. વળી તેવા મૂઢ પુણે, સજન, સને પુરૂષોને પણ છેતરે છે, તેવા પ્રકારના મૂઠ પુરૂષ પાર્વ દેવનું સ્થાન મૃત એવા લોભ દુર્ગણને પણ સેવે છે; એમ આમદ્ભષ્ટિથી પરાડુ-મુખ મૃઢ જી સર્વ ઠેકાણે દુ:ખી હોય છે. ભાવાર્થ–મૃઢ પુરૂ વિષયો ભોગવવાની દ્રષ્ટિવાળા હોય છે. વિષયમાં ખરેખર સુખ નથી, તેમજ વિષયોમાં સુખને જાણવાની શક્તિ નથી, છતાં તેવા મૂઢ મનુષ્પો, વિષયોમાં લપટાય છે, તથા વિષયના ભોગ માટે દાસ બને છે, અનેક પ્રકારના પ્રપંચો કરે છે, સુખની અભિલાષાથી કામની તૃષ્ણા અનેક મનુષ્યો કરે છે અને વિષયસુખને ભોગવે છે, તો પણ તેથી તેઓ ખરી શાંતિ પામતા નથી અને છેવટ કહે છે કે, અરે ! કામની વાસનાથી ખરું સુખ મળ્યું નહીં. અહો! જેમાં સુખ નથી ત્યાં સુખ લેવાને માટે મનુષ્યો ગટ પ્રયત્ન કરે છે. ખરું સુખ પ્રાપ્ત થયા બાદ કદાપિકાળે પાછું ટળી જતું નથી; છદ્રિયોની સહાયતા વિના સત્યસુખ ભેળવી શકાય છે. આત્મિક સુખ છેતાના સ્વભાવે રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મિક સુખને અનુભવ જ્યાં સુધી મનુષ્યોને આવ્યો નથી ત્યાંસુધી તે પર્દાલક વિષયોથી સુખ લેવા પ્રયત્ન કરે છે, પણ તે ખરેખર જમદષ્ટિથી ભૂલે છે અને તેથીજ નાનાં બાળકોની બાળક્રિયાની પેઠે આચરણ કરે છે. કામની વાસનાથી મનુષ્ય કદાપિ ખરું સુખ મેળવવા ભાગ્યશાળી બનતા નથી. કોઈ અત્યંત વૃદ્ધ પુરૂષને પુછો કે ભાઈ કામની વાસનાથી અનેક પદાથ ભગવ્યા પણ તહને ખરું સુખ સમજાયું છે? આના ઉત્તરમાં તે વૃદ્ધ પુરૂષ કહેશે કે, હું બો! મને કઈ પણ વિષયોપભોગથી સુખ જણાતું નથી, કારણ કે અત્યારે વૃદ્ધાવસ્થામાં તે મુખથી વિમુખ થયો છું. આમ સર્વત્ર તપાસ કરશે તો માલુમ પડશે કે, શરીર, આદિ જડ પદાર્થોની મારફતે કદી ખરું સુખ મળનાર નથી. અજ્ઞાનિ પુરૂષો કામના સંબંધથી અનેક પ્રકારના રોગના ઘરબૂત બને છે. અનેક વિષયોની પ્રાપ્તિ માટે ચિન્તા કરવી પડે છે, તે તે વિષપભગ પદાર્થો માટે અન્યોની ગુલામગીરી કરવી પડે છે, લજજાને ત્યાગ કર પડે છે, અનેક પ્રકારની વિપત્તિયો ભોગવવી. પડે છે, ન્યાયને દેશવટો આપ પડે છે, અનેક મનુષ્યનો સંબંધ કરો પડે છે અને કપટનાં આચરણ કરવાં પડે છે. વિષયથી સુખ મળતું નથી અને ઉલટી તૃષ્ણા તો વૃદ્ધિ પામ્યા કરે છે. મનમાં કામને પ્રભુ માનનાર કામી પુરૂષ, વિવેકદ્રષ્ટિથી શન્ય બની જાય છે અને પશુતુલ્ય વૃત્તિ ધારણ કરે છે, તોપણ અને તેને શાન્તિ મળતી નથી. કુતરાની પૂંઠ તે ગમે ત્યાં પરિભ્રમણ કરે છે, પણ ખરું સુખ પ્રાપ્ત કરી શકતા નથી, કામથી ઘેરાયેલા મનુષ્યો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290