________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૬)
रूपातीत ध्यानविचार. આકારરહિત જ્ઞાનાનન્દ સ્વરૂપ નિરજન સિદ્ધ પરમાત્માનું વા સત્તાથી સિદ્ધસમાન એવા પોતાના આત્માનું જે ધ્યાન કરાય છે તેને છપાતી વાર કહે છે.
ચગી આઠ કર્મ આદિ, રૂપી પદાર્થોથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપને વિચાર કરે છે, ત્યારે યોગિનો આમા પરમશુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. જેમ જેમ રૂપાતીત ધ્યાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વર્ણાદિ વિશિષ્ટરૂપી પદર્થોમાં થતું અહં અને મમત્વ વિલય પામે છે અને બાહ્યમાં હું તેની કલ્પનાનું જોર ક્ષય પામે છે. જેમ મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી જાય છે અને પોતાના રૂપનો ત્યાગ કરે છે, તેવી જ રીતે મનની ચંચળતાનો રૂપાતીત ધ્યાન ધરતાં નાશ થાય છે. નિશ્ચયથી નિરાકાર એવો પોતાનો આત્મા છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતે છતો પોતે આત્મા, શુદ્ધરૂપને પ્રાપ્ત કરે છે. શુદ્ધ નિર-જન નિરાકાર એવું આત્માનું સ્વરૂપ ત્રણ કાલમાં બદલાતું નથી.
રૂપાતીત ધ્યાન કરનાર યોગી દુનિયાની જંજાળથી મુક્ત થાય છે અને પિતાના સહજ આનન્દને પ્રાપ્ત કરે છે. રૂપાતીત ધ્યાનમાં સ્થિર થએલ યોગી બાદશાના નામ અને શરીરના આકાર તથા હર્ષ શોકને ભૂલી જાય છે, અર્થાત્ તેમાં તેને જરા માત્ર પણ અહં અને મમત્વ ઉત્પન્ન થતું નથી.
દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણપૂર્વક જે યોગિયો આત્માનું સ્વરૂપ વિચારે છે, તે રૂપાતીત ધ્યાનમાં પ્રવેશ કરે છે. યોગિયો જડ પદાર્થોમાં ઉપયોગ રાખતા નથી અને એક પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાંજ ઉપયોગ રાખે છે, તેથી તે રૂપાતીત ધ્યાન કે જેને શુકલ ધ્યાન કહે છે, તેને પ્રાપ્ત કરી સિદ્ધ સુખની વાનગીનો અનુભવ કરે છે. પોતાના આત્માનું જ મન આલબન કરીને રહે અને શુક્રોપયોગમાં સ્થિર થાય અને જડ તથા ચેતનરામપણે ભાસે તેને સમરર્વકમાત્ર કહે છે. એવા સમરસીભાવને યોગી રૂપાતીત ધ્યાનથી પામે છે; આત્માનું પરમાત્માની સાથે ધ્યાનમાં ઐશ્ય થાય છે, તેને પણ શાસ્ત્રાધારે સમરતજમાવ કહેવામાં આવે છે.
रूपातीत ध्यानमा प्रवेश करवानो विधि. પ્રથમ પિસ્થ, પદસ્થ અને રૂપાતીત ધ્યાન કરવું. પિંડસ્થાદિક ધ્યાન કરતાં કરતાં રધૂળમાંથી સમ આમા ઉપ૨, ધ્યાન કરતાં કરતાં જવું, આમાના ગુણપર્યાયોની શુદ્ધતા ચિંતવવી. આમાના શુદ્ધ ગુણોમાં લીનતા કરવી. બહિરમાં મનને જવા દેવું નહિ. આત્માનો ઉપયોગ એકજ ઠેકાણે રાખવો, એમ કરવાથી રૂપાતીત નિરાલખન ધ્યાનમાં પ્રવેશ થશે અને અહ ર્નિશ તેનો સતત અભ્યાસ કરવાથી રૂપાનીત ધ્યાનમાં સ્થિરતા થશે. સ્થૂલ
For Private And Personal Use Only