Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 209
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુમાં અમુક કાળસુધી ગમનાગમનવિના મન લાગી રહે તેને સ્લિણ મન કહે છે. આવી મનની અવસ્થા પ્રાપ્ત થતાં સ્થિરતા તથા આનન્દનો અનુભવ થાય છે. મનના ઉપર આત્માનો વિશેષતઃ કાબુ રહે છે. આત્માના તાબે મન વર્તે છે, આવી મનની અવસ્થા પ્રાપ્ત થતાં સંકલ્પની સિદ્ધિ થાય છે. મંત્ર તથા વિદ્યાની સિદ્ધિપણ આ અવસ્થા પ્રાપ્ત થવાથી થાય છે. વારંવાર મનમાં અનેક વસ્તુઓ સંબંધી વિકલ્પ પ્રગટતા બંધ થાય છે. મનમાં આનંદની છાયા છવાઈ રહે છે, ધારેલાં કાર્ય સિદ્ધ કરવાની શક્તિ પ્રગટે છે. મનમાં અમુક પદાર્થનું ચિંતવન કરવું કે ન કરવું તે યોગીના હાથમાં રહે છે. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રકારનું આમિક જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે. જ્ઞાનિ સપુરૂષોને સમાગમ કરવાની જરૂર રહે છે. અત્યંત સૂમ અભ્યાસ કરવાની જરૂર રહે છે. જે વિષયમાં મન ચોટાડવું હોય ત્યાં ચોંટી રહે પણ અન્યમાં જાય નહિ તે માટે મન ઉપર પ્રખર અંકુશ મૂકવાની જરૂર રહે છે. આવી અવસ્થામાં યોગી આનંદ મગ્ન જણાય છે. ક્ષણમાં બાહામાં મન તેનું જતું હોય છે પણ આcરમાં લઈ જવું હોય છે તો શિખવેલા ઘોડાની પેઠે તેને અન્તરમાં લઈ જાય છે, બાહ્યમાંથી અતરમાં જવું હોય છે તો તેને અત્યંત મહેનત પડતી નથી. એય વસ્તુમાં મનને ચોંટાડી (ગોંધી) રાખવાથી અનેક પ્રકારનાં નવીન કર્મ બંધાતાં અટકે છે. અને સંવરની પુષ્ટિ થાય છે. બાહ્ય વિષયોમાં મન ભટકવા પામતું નથી. આવી મનની દશા થવાથી કોઈ પણ પ્રકારની ધારણા કરવી હોય તો સહેજે થાય છે. ચોથી મનની સુલીન અવસ્થામાં ધ્યેયવસ્તુમાં મન લીન થઈ જાય છે. પરમાનંદની છાયા છવાઈ જાય છે; આ છેલી બે મનની અવસ્થાઓ પ્રાપ્ત કરવા લાયક છે. આ ચાર મનની અવસ્થાઓને અત્ર પ્રસંગોપાત દેખાડી છે વસ્તુતઃ તેનો ધ્યાન અને સમાધિની અંદર સમાવેશ થાય છે. માટે અત્ર તેનું સંક્ષિપતઃ પ્રસંગોપાત્ત વર્ણન કર્યું છે.–આ પ્રમાણે મનમાં ઉત્પન્ન થતા દોષો ટાળવા બાદ મનની નિર્મળતા થાય છે. મનની નિર્મલતા થયા બાદ મનમાં જે જે વસ્તુઓને ધારવામાં આવે છે તે તે વસ્તુઓની બરાબર ધારણ થાય છે માટે હવે ધારણાનું સ્વરૂપ કહેવામાં આવે છે. - ૬ ધારણાં. પ્રત્યાહાર સિદ્ધ થયા બાદ ધારણામાં પ્રવેશ કરવો જોઈએ. શાસ્ત્રોમાં બતાવેલા કોઈપણ સ્થાનમાં મનને ધારવું તેને ધારણા કહે છે. કોઈ પણ સ્થાનમાં મનને લગાડી જાગૃતિપૂર્વક લાંબા વખતપર્યત રહેવાથી તેમાં ચિત્ત લાગી રહે છે તેથી તે શાન્ત જેવું થઈ જાય છે. કોઈપણ સ્થાનમાં લક્ષ્યપૂર્વક ચિત્તને ઠેરવવાથી હજારો વિષયોમાં ભટકતું મન બંધ થઈ જાય છે. જેમ સરકારના નોકરો કાયદાસર કાર્ય કરે છે તેમ મન પણ કાયદાસર કાર્ય કરે છે. પ્રથમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290