Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 772
________________ પરિશિષ્ટ ૪. ૧૪૨૫ (૪) કંપાયમાન શરીરવાળે. દેતી વખતે શરીર ધ્રૂજતું હોય તેવા શરીરવાળે. વસ્તુ પડી જાય, સાધુના પાત્રથી બહાર પડે, દેવાનું ભાજન ભાંગી નાખે તે અનેક દોષ થઈ જાય તે હેતુ. જે પુત્રાદિક તેના હાથ પકડીને આપે તે ગ્રહણ થઈ શકે. (૫) “તાપવાળો. શરીરે તાવ (ફીવર) આવ્યો હોય તે આપે તે. કારણ (નં. ૪) પ્રમાણે. વળી ૨ સંક્રમણ થાય તથા લેકમાં ઉફાહ થાય વિગેરે અનેક દેને સંભવ છે. (૬) “અંધ. આપનાર આંધળો હોય. એ પડી જાય કે વસ્તુ ઢળી જાય તેથી વિરાધના થાય. આંધળાને હાથ તેના પુત્રાદિકે પડ્યો હોય તે ભિક્ષા કપ્ય છે. (૭) બાળ. આઠ વર્ષની અંદરનો હોય તે બાળ કહેવાય છે. એને પ્રમાણુની ખબર હોતી નથી. બાળકોને લુંટારાઓ ઠગી જાય છે એ આક્ષેપ આવે તે હેતુ. બાળકને આજ્ઞા મળેલી છે એમ ખાતરી થાય તે ભિક્ષા કપ્ય છે. (૯) “મ. દારૂ પીધેલ કે કેફ કરેલ આપનાર. (૯) ઉન્મત્ત. ગાંડે જેને ઉન્માદ થયું હોય અથવા ગ્રહ ચાળ હોય તેવો આપનાર. (૧૦) છિન્નકર'. જેના હાથ કપાઈ ગયેલા છે તેવો આપનાર. વસ્તુ પડી જવાથી જીવવધની અત્ર સંભાવના છે તથા હાથના અભાવે તેનું શરીર પ્રાયઃ અશુચી રહેવાથી લેકનિન્દાને પણ સંભવ રહે છે તે હેતુ. (૧૧) “છિન્નચરણ. જેના પગ કપાઈ ગયા છે તેવો દાતા. પોતે પડી જવાથી જીવવિરાધના દોષ પ્રાપ્ત થાય તથા લેક નિંદા થાય. (૧૨) “બલકુષ્ટ, કઢથી જે દાયકનું શરીર ગળી ગયું હોય તે આપનાર. (૧૩) “બદ્ધ'. હાથમાં કે પગમાં બેડી નાખેલી હોય, કેદમાં પડેલ હોય તેવો દાયક. (૧૪) પાદુકારૂઢ'. લાકડાની ચાખડી પગમાં પહેરેલી હોય તેવો દાયક. એને પગ ખસી જાય તો એ પડી જાય તેથી વિરાધના થઇ જાય તે હેતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804