Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ - - ---- = = = - - --- - syste अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ • ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર પ ક ા પુસ્તક ૩ ]. ડીસેમ્બર : ૧૯૪૦ [ અંક ૭ અહિંસાઃ સંસ્કૃતિમાં તેનું સ્થાન રમણલાલ વસંતલાલ દેસાઈ [ ગતાંક પૃ. ૨૭૫ થી ચાલુ]. વળી જમીન આપે એટલું આપણે લેઈ શકીએ છીએ? ભૂમિના વાત્સલ્યની મર્યાદા શું આપણે જોઈ છે? વિજ્ઞાનવિદે ના પાડે છે. આપણે કલ્પી ન શકીએ એટલે ખેરાક આપવા જમીન તૈયાર છે, માત્ર આપણને તે લેતાં હજી પૂરેપૂરું આવડયું નથી. જાનવરોને ભક્ષ કરવામાં નહીં આવે તે તે વધી જશે એ ડરથી માંસાહાર ચાલુ રાખવાનું જરા પણ કારણ નથી. ખેરાક અર્થે જ કેટલાં પ્રાણુઓ ઉછેરવામાં આવે છે? ખરું જોતાં જાનવરોની સંખ્યા વધી જાય એવી જગતની સ્થિતિ મનુષ્ય રહેવા દીધી નથી, અને મનુષ્યને હરકત ન કરે એટલું પ્રમાણ સાચવી રાખવા જાનવરો ખાસ કાળજી રાખે છે એ નિઃસંશય વાત છે. . કૃષિજીવન એ અહિંસાને ત્રીજો અને પોષણના અંગનો આખરનો વિજયધ્વજ છે. સંસ્કૃતિ જેમજેમ પોતાની ભૂમિકાઓ બદલતી જાય છે, તેમ તેમ તેને હિંસા કરવાનાં કારણે ઓછાં થતાં જાય છે. જંગલી અવસ્થામાં મનુષ્ય ઉપર સ્વજાતીય અહિંસાનો અંકુશ હતા; માણસનો ખેરાક માણસ ન હતો. આથી આગળ વધી ગોપ–ભૂમિકામાં પ્રવેશ કરતાં જાનવરની કેટલીક જાતે ખેરાકના સ્વરૂપમાંથી મુક્ત થઈ, અને છેવટે આ અહિંસાએ ધીમેધીમે મનુષ્યજાતને કૃષિજીવનનાં દ્વાર ખોલી બતાવી આપ્યું, કે ખોરાક માટે કતલખાનાંની હવે બિલકુલ જરૂર રહી નથી. મનુષ્યજાતના પિષણ માટે કૃષિજીવનમાં આટલી બધી શક્યતાઓ હેવા છતાં જગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54