Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ _x જીવન ઝરણ- ૩૨૯ સજજન વારું કેટિધા છે દુજનની ભેટ અકબરને આ પંક્તિ ખૂબ જ ગમી ગઈ. પણ તેને ઉત્તરાર્ધ ખાનખાનાન કે બીજે કેઇજ કવિ બનાવી ન શકે. અકબરને પૃથ્વીરાજની ખોટ સાલી. ને તેણે, અગાઉ પ્રસંગ વીસરી જઈ. પૃથ્વીરાજને તે જ્યાં હોય ત્યાંથી તરત જ આગ્રા આવી પહોંચવાનું આમત્રણ મેલાવ્યું. બાદશાહી ફરમાન જઈ અમલદારેએ પૃથ્વીરાજને આગ્રા બાજુની મુસાફરી માટે સગવડતા કરી આપી. ને પિતે ભાવિ ભાખ્યાને બરાબર છ મહિના વીતતાં જ કવિ મથુરા આવી પહોંચ્યા. મથુરાના વિશ્રામઘાટ પર તેમણે ઉપરોક્ત પંક્તિને ઉત્તરભાગ લખે રજનીનાં મિલન કર્યા વિધિના અક્ષર મેટ. ને બીજી જ પળે તેમણે પ્રાણ છોડી દીધા. ખલીફા ઓમર સમક્ષ એક શ્રીમંતે કેટલાંક સફરજન ભેટ ધર્યાં. ખલીફાએ એવી ભેટ લેવાની ના પાડતાં મંત્રીઓ અને શ્રીમંતે કહ્યું, “નામદાર, સફરજનની ભેટ તે પેગંબર સાહેબ પણ સ્વીકારતા હતા.” હું એ જાણું છું.” ખલીફાએ શાંતિથી કહ્યું, “પણ સાથે એ પણ જાણું કે પેગંબર સાહેબના વિષયમાં એ ભેટ હતાં. મારા વિષયમાં એ લાંચ છે.” X મહારાણા સરૂપસિંહે એક રબારીની હોશિયારી જોઈ તેને જમાદારની પદવી આપી. સમય જતાં એક હેલીએ આવી ફરિયાદ કરી કે તે રબારીની સ્ત્રી પોતાની પરણેતર છે. બે રબારી તેને ભગાડી ગયો છે. , મહારાણાએ તરતજ રબારીને તેની સ્ત્રીને અંતઃપુરમાં દાસી તરીકે મોકલવાની સૂચના આપી. રબારીએ હર્ષથી ઊભરાઈ જઈ પત્નીને સારી રીતે શણગારી અંતઃપુરમાં મોકલાવી. સાંજરે મહારાજાએ એક ભવ્ય જલસે ગોઠવ્યા. તેમાં બધી જ દાસીઓને ઢોલ વગાડવાની તેમણે સૂચના કરી ને જે દાસી સારામાં સારું ઢોલ વગાડે તેને સુંદર ઈનામ આપવાની ઈચ્છા દર્શાવી. રબારીની પત્ની ઢેલ વગાડવામાં બધી જ દાસીઓને ટપી ગઈ. મહારાણાએ તરતજ ફરિયાદી ઢાલીને આગળ ધરતાં કહ્યું, “આ ભેટ તારે માટે વધારે યોગ્ય થઈ પડશે.” ઢેલણે પિતાની ભૂલ કબૂલી બધે દેષ રબારી પર ઢળ્યો. ને રબારી, મહારાણાએ તેની પત્નીને આપેલી ભેટને નકારી ન શકો. પિતાના ઘરમાં ભરાયેલા એક ચોરને એક ધર્મગુરુએ કહ્યું: “ઓ માનવી, તું જાણે છે કે તું ચોરી કરીને જે ચીજ ઉપાડી જઇશ તે જ ચીજ કયામતને દિવસે ખુદા તારા ગળામાં લટકાવશે.” “ઘણી જ સુંદર વાત,” ચોરે ખીસામાં ભરેલી કસ્તુરી બતાવતાં હસીને કહ્યું, “આ ચીજ વજનમાં ઘણી હલકી છે એટલે ગળામાં મને ભાર જણાશે નહિ. ને વધારામાં તે મને તે સુવાસ આપશે જ પણ સાથે જ ખુદાના દરબારને પણ તે સુવાસિત કરી મૂકશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54