Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 421
________________ १० स्थानकाध्ययने नारकभेद स्थितयश्च ७५७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ कप्पे उक्कोसेणं देवाणं दस सागरोवमाई ठिती पन्नत्ता १७, लंतते कप्पे देवाणं जहन्नेणं दस सागरोवमाई ठिती पन्नत्ता १८ ।। सू०७५७।। (મૂળ) દશ પ્રકારના નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે–અનંતરોપપત્રકો-વર્તમાન સમયમાં ઉપજેલા ૧, પરંપરીપત્રકો જેને ઉત્પન્ન થયાને બે, ત્રણ વગેરે સમયો થયેલા છે તે ૨, અનંતરાવગાઢો-વિવસિત પ્રદેશની અપેક્ષાએ આંતરા રહિત બીજા પ્રદેશમાં રહેલા ૩, પરંપરાવગાઢો-વિવસિત પ્રદેશની અપેક્ષાએ આંતરા સહિત અન્ય પ્રદેશમાં રહેલા ૪. એનંતર આહારકો-જીવપ્રદેશોની સાથે સ્પર્શીને રહેલા પગલોનો આહાર કરનારા ૫, પરંપર આહારકો-પ્રથમ જીવપ્રદેશથી દૂર રહેલ પુદ્ગલો હોય તે સ્વક્ષેત્રમાં આવ્યા હતા તેનો આહાર કરનારા ૬, અનંતરપર્યાપ્તા-જે સમયે પર્યાતિને પૂર્ણ કરે છે, તે સમયમાં વર્તતા ૭, પરંપરપર્યામા-પર્યામિ પૂર્ણ કર્યા બાદ દ્વિતીયાદિ સમયમાં વર્તતા ૮, જે ફરીથી નારકપણે ઉત્પન્ન થશે નહિ તે ચરમ ૯ અને જે ફરીથી નારકપણે ઉપજશે તે અચરમ ૧૦. એવી રીતે નિરંતર થાવત્ વૈમાનિક પર્યત ૨૪ દંડકમાં જાણવું. ચોથી પંકપ્રભા પૃથ્વી-નરકમાં દશ લાખ નરકાવાસાઓ કહેલા છે ૧, રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્યથી નૈરયિકોની દશ હજાર વર્ષની સ્થિતિ કહેલી છે ૨, ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટથી નિરયિકોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે ૩, પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં જઘન્યથી નૈરયિકોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે ૪, અસુરકુમારોની જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતિ કહેલી છે. એવી રીતે યાવત્ સ્વનિતકુમારોની સ્થિતિ જાણવી ૧૪, બાદર વનસ્પતિકાયિકોની ઉત્કૃષ્ટથી દશ હજાર વર્ષની સ્થિતિ કહેલી છે ૧૫, વાનભંતર દેવોની જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતી કહેલી છે ૧૬, બ્રહ્મલોકનામા પાંચમા કલ્યમાં ઉત્કૃષ્ટથી દેવોની દશ સાગરોપમની સ્થિતી કહેલી છે ૧૭, લાંતકનામા છઠ્ઠા દેવલોકમાં જઘન્યથી દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ૧૮ //૭૫૭ll (ટી0) 'સવિહે ત્યાદિ ચોવીશ સૂત્રો છે. નથી વિદ્યમાન અંતર જેને તે અનંતર-વર્તમાન સમય. તેમાં ઉપત્રકો-ઉપજેલા તે અનંતરોપપત્રકો અર્થાત્ જેઓને ઉત્પન્ન થયાને એક સમય પણ અતિક્રાંત થયેલ નથી તેઓ ૧, અને જેઓને ઉત્પન્ન થયાને બે વગેરે સમય થયેલા છે તે પરંપરોપકો, પરંપર સમયને વિષે તેઓનું ઉપજવાપણું હોવાથી ૨, આ કાલ વિશેષરૂપ ઉપાધિ વડે કરાયેલા બે ભેદ છે. વિવક્ષિત પ્રદેશની અપેક્ષાએ અંતર રહિત પ્રદેશમાં રહેલા તે અનંતરાવગાઢો અથવા પ્રથમ સમયમાં અવગાઢો તે અનંતરાવગાઢો અને એથી જૂદા-અંતર સહિત પ્રદેશોને વિષે અવગાઢો-રહેલાઓ, અથવા દ્વિતીયાદિ સમયમાં અવગાઢો તે પરંપરાવગાઢો, ક્ષેત્રથી આ બે ભેદ છે ૩-૪, અનંતર-જીવના પ્રદેશો વડે વ્યાપ્તપણાએ અથવા સ્પર્શેલાણાએ અંતર રહિત રહેલા પુદ્ગલોને આહારે છે તે અનંતરાહારકો, અને જે પૂર્વે અંતર સહિત રહેલા છતાં પોતાના ક્ષેત્રમાં આવેલા પુગલોને આહારે છે તે પરંપરાહારકો અથવા પ્રથમ સમયમાં આહાર કરે છે તે પરંપરાહારકો. આ બે દ્રવ્યકૃત ભેદ છે ૫-૬, પર્યાપ્તપણામાં નથી વિદ્યમાન અંતર જેઓને તે અનંતરો. અનંતર એવા પર્યાપ્તકો તે અનંતરપર્યાપ્તકો અર્થાત્ પ્રથમ સમયના પર્યાપકો. બીજા તો-દ્વિતીયાદિ સમયના પર્યાપ્તકો તે પરંપરપયતકો છે. આ બે ભાવકૃત ભેદ છે ૭-૮, ચરમ-છેલ્લા નારકના ભવયુક્ત હોવાથી ચરમ અર્થાત્ ફરીથી જે નારક થશે નહિ અને તેથી વિપરીત એટલે ફરીથી જે નારક થશે તે અચરમ નારકો. આ બે ભેદ પણ ભાવકૃત છે, કારણ કે ચરમ અને અચરમ આ બન્નેમાં જીવનું પર્યાયપણું છે. ૯-૧૦. 'વ' મિત્કારિ૦ નારકની જેમ આ દશ પ્રકારપણું નિરંતરપણે ચોવીશ દંડક વડે કહેલ વૈમાનિક સુધીના જીવોને પણ જોડવું ૧, દંડકની આદિમાં દશ પ્રકાર વડે નારકો કહ્યા, હવે તેના આધારોને અને નારકાદિની સ્થિતિને દશ સ્થાનના અનુપાતથી નિરૂપણ કરતા થકાં વસ્થીર' ત્યા૦િ અઢાર સૂત્રોનું કહે છે. આ સુગમ છે. I૭૫૭ll - અનંતર લાંતક દેવો કહ્યા, તે લબ્ધભદ્રા-કલ્યાણને પામેલા છે માટે કલ્યાણકારી કર્મના કારણોને કહે છે– – 373

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484