Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 116
________________ ૧૭. કોઈએ વિશ્વાસથી કહેલી અંગત વાત જાહેર ન કરવી. ગંભીરતા રાખવી. ૧૮. બીજાને રાગ-દ્વેષના પરિણામ થાય તેવું વચન ન બોલવું. અન્યનાં જ્ઞાનાદિની પરિણતી વધે તેવાં વચન બોલવા. પરિમિત વચનોમાં પોતાને કહેવાનું કહેવાઈ જાય તે રીતે બોલવાનો અભ્યાસ પાડવો. નિરર્થક લંબાણ નહિ કરવું દિવસમાં શક્ય તેટલું મૌન પાળવું. ૨૧. બીજાની મજાક-મશ્કરી થાય તેવા વચન ન બોલવા. ૨૨. મીન એકસાથે વા-વગા કલાકનું ધારવું. એકસાથે વધારે ન ધારવું. બોલવું પડે તેવી સંભાવના હોય ત્યારે મૌન ન ધારવું. ૨૩. આપણું મૌન બીજાને સંક્લેશકારક ન બનવું જોઈએ તેમ આપણું મૌન સચવાય તે માટે બીજાને ચારગણું બોલવું પડે તે પણ ઉચિત ૨૦. નથી. ૨૪. ઈશારાથી પોતાનો અભિપ્રાય બીજાને સમજાવતા આવડવું જોઈએ. તો, મૌન દરમ્યાન મામૂલી કારણમાં બોલવું ન પડે. તે જ રીતે, બીજાના ઈગિતને ઈશારાને સમજતા આવડવું જોઈએ. ૨૫. મૌન અથવા એઠા મુખને કારણે મૂંગા માણસ જેવાં બીજાને ત્રાસ થાય તેવા હૂંકારા ન ચાલવા જોઈએ. વાપરતી વખતે કાંઈ કહેવું પડે તો પાણીથી મુખ ચોÉ કરીને બોલવું બીજાનાં મનને કારણે આપણને થોડી તકલીફ પડે તો મનમાં સંફ્લેશ ન કરવો. તેમનાં મૌનમાં સહકાર આપવો. ૨૭. કોઈ વ્યક્તિ કોઈ વાત કહેતી હોય ત્યારે પૂરા ઉપયોગપૂર્વક તે વાત સાંભળવી. પહેલા બીજી ધૂનમાં રહેવું અને પછી તેની પાસે ફરી બોલાવવું તે ઉચિત નથી. તેમ, કોઈની વાત સાંભળવામાં ઉપેક્ષા સેવવી તે પણ ઉચિત નથી.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162