SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. કોઈએ વિશ્વાસથી કહેલી અંગત વાત જાહેર ન કરવી. ગંભીરતા રાખવી. ૧૮. બીજાને રાગ-દ્વેષના પરિણામ થાય તેવું વચન ન બોલવું. અન્યનાં જ્ઞાનાદિની પરિણતી વધે તેવાં વચન બોલવા. પરિમિત વચનોમાં પોતાને કહેવાનું કહેવાઈ જાય તે રીતે બોલવાનો અભ્યાસ પાડવો. નિરર્થક લંબાણ નહિ કરવું દિવસમાં શક્ય તેટલું મૌન પાળવું. ૨૧. બીજાની મજાક-મશ્કરી થાય તેવા વચન ન બોલવા. ૨૨. મીન એકસાથે વા-વગા કલાકનું ધારવું. એકસાથે વધારે ન ધારવું. બોલવું પડે તેવી સંભાવના હોય ત્યારે મૌન ન ધારવું. ૨૩. આપણું મૌન બીજાને સંક્લેશકારક ન બનવું જોઈએ તેમ આપણું મૌન સચવાય તે માટે બીજાને ચારગણું બોલવું પડે તે પણ ઉચિત ૨૦. નથી. ૨૪. ઈશારાથી પોતાનો અભિપ્રાય બીજાને સમજાવતા આવડવું જોઈએ. તો, મૌન દરમ્યાન મામૂલી કારણમાં બોલવું ન પડે. તે જ રીતે, બીજાના ઈગિતને ઈશારાને સમજતા આવડવું જોઈએ. ૨૫. મૌન અથવા એઠા મુખને કારણે મૂંગા માણસ જેવાં બીજાને ત્રાસ થાય તેવા હૂંકારા ન ચાલવા જોઈએ. વાપરતી વખતે કાંઈ કહેવું પડે તો પાણીથી મુખ ચોÉ કરીને બોલવું બીજાનાં મનને કારણે આપણને થોડી તકલીફ પડે તો મનમાં સંફ્લેશ ન કરવો. તેમનાં મૌનમાં સહકાર આપવો. ૨૭. કોઈ વ્યક્તિ કોઈ વાત કહેતી હોય ત્યારે પૂરા ઉપયોગપૂર્વક તે વાત સાંભળવી. પહેલા બીજી ધૂનમાં રહેવું અને પછી તેની પાસે ફરી બોલાવવું તે ઉચિત નથી. તેમ, કોઈની વાત સાંભળવામાં ઉપેક્ષા સેવવી તે પણ ઉચિત નથી.
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy