Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 247
________________ ૨૩) પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત “આત્મતત્ત્વ' એ મુખ્ય દ્રવ્ય છે. તેના ગુણોમાં એટલે કે સ્વભાવદશામાં આત્માની જે પરિણતિ છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ધર્મ કહેવાય છે. આ આત્મા જેટલા જેટલા અંશે રાગ દ્વેષ કષાય અને અજ્ઞાનદશાને ટાળીને શુદ્ધ આત્મતત્ત્વનો લક્ષ્ય રાખીને જ્ઞાન-દર્શન-ચારિત્ર-શમભાવ-વૈરાગ્ય આદિ ગુણોમાં રમણતા કરે છે. તે ઉપયોગશુદ્ધિરૂપ ધર્મ કહેવાય છે. શુદ્ધ જ્ઞાનદશાની રમણતા એ શુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. આ જ શુદ્ધ નિશ્ચયનય કહેવાય છે. ઉપયોગશુદ્ધિ=મોહરહિત શુદ્ધ જ્ઞાનગુણમાં લયલીનતા એ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી એટલે શુદ્ધ નિશ્ચયનયથી ધર્મ કહેવાય છે. આ ધર્મતત્ત્વ વિશેષે સંવર-નિર્જરાનું કારણ બને છે. “ઉપયોગની મલીનતા” એટલે કે જ્ઞાનદશામાં રાગ દ્વેષ કષાયો અને અજ્ઞાન ભરપૂર ભરેલું હોય, મોહદશાની તીવ્રતા હોય, આવેશી જોર પકડતા હોય, આવા પ્રકારની મલીન જ્ઞાનદશા એ અધર્મ છે. આવા અધર્મમય પરિણામોથી જીવ પાપકર્મોને નિકાચિત કરે છે. આ જ વિભાવદશા (અથવા પર પરિણતિ) કહેવાય છે. તે ભાવકર્મ રૂપ છે એટલે કે રાગ-દ્વેષ અને કષાયોના વિકાર વાળી જે જ્ઞાનદશા છે. તે જ અધર્મ અને ભાવકર્મ જાણવું. આ રીતે ઉપયોગદશાની (જ્ઞાનદશાની) શુદ્ધિ અને અશુદ્ધિ એ જ ધર્મ અને અધર્મ રૂપ છે. સ્વભાવદશાનું લક્ષ્ય એ ધર્મ, અને વિભાવદશાનું લક્ષ્ય એ અધર્મ. આ રીતે નિશ્ચયનય ઉપયોગ આશ્રયી ધર્મ અધર્મ સમજાવવામાં પ્રવર્તે છે. જ્યારે વ્યવહારનય યોગ આશ્રયી ધર્મ અધર્મ સમજાવવામાં પ્રવર્તે છે. મન-વચન-કાયાની જે શુભ પ્રવૃત્તિ, જેમ કે જિનેશ્વરની પૂજા, દાનાદિ ધર્મક્રિયા, સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મ અનુષ્ઠાનોનું આચરણ, પંચાચારનું વિધિપૂર્વક પાલન, આમ, શુભ યોગાત્મક પ્રવૃત્તિરૂપ ક્રિયામાર્ગ એ વ્યવહારનયથી ધર્મ છે. આ શુભયોગાત્મક પ્રવૃતિ રૂપ ધર્મ, યોગ આશ્રયી હોવાથી બંધહેતુ પણ છે અને શુભ હોવાથી પુણ્યબંધનો હેતુ છે. છતાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292