Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 268
________________ ૨૫૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી નયોની અપેક્ષાવાળી, સર્વદોષોથી મુક્ત એવી વાણી; શાસ્ત્રોના આધારે અને - સદ્ગુરુઓના આલંબને જાણીને તેનો અભ્યાસ કરીને અત્યન્ત શ્રદ્ધાળુણવાળો હું બની જ ચુક્યો છું. હવે આપના પ્રત્યે જામેલા મારા મનને (જામેલી શ્રદ્ધાને) કોઈ દેવ માનવ કે ઈન્દ્ર પણ ચલિત કરી શકે તેમ નથી. હવે ફક્ત તમારા ચરણો ભેટવા (એટલે કે આપશ્રીની વાણી દ્વારા ભણેલા નિશ્ચય-વ્યવહારથી શુદ્ધ એવા ધર્મતત્ત્વને આચરવા) માટે હું ઇચ્છું છું. આપશ્રીએ જણાવેલા પરપરિણતિથી મુક્ત અને શુદ્ધ એવા આત્મતત્વને પ્રાપ્ત કરવું એ જ તમારા ચરણોને સાક્ષાત્-પ્રત્યક્ષ ભેટવું કહેવાય છે. તેને મેળવવા ઇચ્છું છું. હું વિભાવદશામાં ન ચાલ્યો જાઉં. ફરી ફરી નવાં કર્મો ન બાંધું. મારૂ દિન-પ્રતિદિન પ્રાપ્ત થતું કલ્યાણ અટકે નહીં. એવી મારી “સુરક્ષા” આપશ્રી કરો, તેના વિના બીજું કંઈ પણ હું આપશ્રીની પાસે માગતો નથી. પરપરિણતિના ત્યાગ વિના બીજાં કંઈ માગવા જેવું આ સંસારમાં છે જ નહીં, સંસારનાં સર્વે પણ સુખો, પર દ્રવ્યોના સંયોગજન્ય હોવાથી પરાધીન અસ્થિર, અને ક્ષણભંગુર છે. મોહકતા વધારનારા છે. તે સર્વે ઉપરથી મારું મન ઉઠી ગયું છે. કેવળ એક શુદ્ધ, બુદ્ધ, અખંડ, અનંતગુણમય, ચિદાનંદમય આત્મતત્ત્વ મેળવવાની જ ઝંખના લાગી છે. તેની જ અતિશય તાલાવેલી લાગી છે. તે જ એક તત્ત્વ પ્રાપ્ત કરવામાં અને ભવભ્રમણ મીટાડવામાં આપશ્રી મારી સુરક્ષા કરવાવાળા થાઓ. // ૧૧-૫ / તુજ વચન રાગ સુખ આગળ, નવિ ગણું સુર-નર શર્મ રે ! કોડી જો કપટ કોઈ દાખવે, નવિ તળું તો એ તુજ ધર્મરે ! ૧૧-૬ સ્વામી સીમંધર તું જયો || ૧૧૯ | ગાથાર્થ= તમારી વાણી ઉપરના રાગના (અહોભાવના) સુખની આગળ દેવ-મનુષ્યનાં સુખોને પણ હું ગણકારતો નથી. જો કોઈ કરોડો કપટ કરીને પણ મને લલચાવે, તો પણ હું તમારા ધર્મને ત્યજવાનો નથી. / ૧૧-૬ ! વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! પાંત્રીસ ગુણોથી ભરેલી અને સર્વ દોષોથી રહિત એવી તમારી વાણી સાંભળીને (આગમશાસ્ત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292