Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 275
________________ ૨૫૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કે તમારી આજ્ઞાનું જ્ઞાન, સમજ, આચરણ અને પાલન મલજો. આ જ એક અમારી અન્તિમ વિનંતિ છે. કારણ કે જો ભગવાનની આજ્ઞા જણાય, સમજાય અને પળાય તો અમારો આત્મા સત્યમાર્ગને સેવનારો બને જ. અકલ્યાણ થાય જ નહીં. નિયમા કલ્યાણ જ થાય. અલ્પકાળમાં જ મુક્તિપદ પામે. ॥ ૧૧-૧૧ || ઇમ સકલ સુખકર, દુરિત ભયહર, વિમલ લક્ષણ ગુણધરો । પ્રભુ અજર, અમર, નરિંદ વંદિત, વિનવ્યો સીમંધરો । નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત ધૈર્ય નિર્જિત મંદરો । શ્રી નયવિજય બુધ ચરણસેવક જવિજય બુધ જય કરો ॥૧૨૫॥ ગાથાર્થ= આ પ્રમાણે સકલ સુખને કરનારા, સર્વ પાપો અને ભયોને હરનારા, નિર્મળ લક્ષણો અને ગુણોને ધારણ કરનારા, અજર (જરા વિનાના), દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે વંદાયેલા, પોતાની ધર્મદેશનાની વાણી વડે તર્કના (પરાભવ) કર્યો છે મેધના ગર્જારવનો જેઓએ એવા, અને ધૈર્યગુણ વડે જિત્યો છે મેરૂપર્વત જેઓએ એવા પ્રભુ શ્રી સીમંધર સ્વામીને વિનંતી કરવારૂપે શ્રી નવિજયજી મહારાજશ્રીના ચરણસેવક એવા શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ સ્તવનની રચના કરી છે. વિવેચન= આ ગાથા કળશ રૂપે છે. ગ્રંથકર્તાનું અને તેમના ગુરુજીનું નામ આપીને સીમંધરસ્વામીને વિનંતી કરવા રૂપે આ સ્તવન બનાવ્યું છે. એમ સુચવ્યું છે. આ સ્તવનના કર્તા છે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કે જેઓ મહેસાણા પાસેના કનોડા ગામમાં જન્મેલા, પાટણમાં દીક્ષિત થયેલા, અને ડભોઈમાં સ્વર્ગવાસી બનેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292