SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કે તમારી આજ્ઞાનું જ્ઞાન, સમજ, આચરણ અને પાલન મલજો. આ જ એક અમારી અન્તિમ વિનંતિ છે. કારણ કે જો ભગવાનની આજ્ઞા જણાય, સમજાય અને પળાય તો અમારો આત્મા સત્યમાર્ગને સેવનારો બને જ. અકલ્યાણ થાય જ નહીં. નિયમા કલ્યાણ જ થાય. અલ્પકાળમાં જ મુક્તિપદ પામે. ॥ ૧૧-૧૧ || ઇમ સકલ સુખકર, દુરિત ભયહર, વિમલ લક્ષણ ગુણધરો । પ્રભુ અજર, અમર, નરિંદ વંદિત, વિનવ્યો સીમંધરો । નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત ધૈર્ય નિર્જિત મંદરો । શ્રી નયવિજય બુધ ચરણસેવક જવિજય બુધ જય કરો ॥૧૨૫॥ ગાથાર્થ= આ પ્રમાણે સકલ સુખને કરનારા, સર્વ પાપો અને ભયોને હરનારા, નિર્મળ લક્ષણો અને ગુણોને ધારણ કરનારા, અજર (જરા વિનાના), દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે વંદાયેલા, પોતાની ધર્મદેશનાની વાણી વડે તર્કના (પરાભવ) કર્યો છે મેધના ગર્જારવનો જેઓએ એવા, અને ધૈર્યગુણ વડે જિત્યો છે મેરૂપર્વત જેઓએ એવા પ્રભુ શ્રી સીમંધર સ્વામીને વિનંતી કરવારૂપે શ્રી નવિજયજી મહારાજશ્રીના ચરણસેવક એવા શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ સ્તવનની રચના કરી છે. વિવેચન= આ ગાથા કળશ રૂપે છે. ગ્રંથકર્તાનું અને તેમના ગુરુજીનું નામ આપીને સીમંધરસ્વામીને વિનંતી કરવા રૂપે આ સ્તવન બનાવ્યું છે. એમ સુચવ્યું છે. આ સ્તવનના કર્તા છે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કે જેઓ મહેસાણા પાસેના કનોડા ગામમાં જન્મેલા, પાટણમાં દીક્ષિત થયેલા, અને ડભોઈમાં સ્વર્ગવાસી બનેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy