Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 261
________________ ૨૪૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે જીવને જ્યારે હિતકારક હોય છે ત્યારે તે વસ્તુ તે જીવને કર્તવ્ય બને છે. અને તે જ વસ્તુ જે કાળે તે જ જીવને અથવા જેને અહિતકારક હોય છે. તેને તે અકર્તવ્ય બને છે. આ પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પહેલી ઢાળમાં સદ્ગુરુનો યોગ દુર્લભ છે. અને કુગુરુઓનો યોગ ઉન્માર્ગમાં ફસાવી સંસાર ભ્રમણ કરનાર છે. તે સમજાવ્યું. ૨-૩-૪ ઢાળમાં નિશ્ચયનયથી ધર્મ સમજાવ્યો. પ-૬ ઢાળમાં વ્યવહારનયથી ધર્મ સમજાવ્યો. તથા શુદ્ધ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહારના બે ભેદ સમજાવ્યા. ૭મી ઢાળમાં શુદ્ધ પરિણતિવાળા સાધુ શ્રાવક અને સંવિજ્ઞપાક્ષિક એમ ૩ આરાધક અને શુદ્ધ પરિણતિ વિનાના ગૃહસ્થ યતિલિંગધારી અને કુલિંગી એમ ૩ વિરાધક સમજાવ્યા. ૮મી ઢાળમાં ગૃહસ્થોને દ્રવ્યપૂજા કર્તવ્ય છે. એ વાત યુક્તિપૂર્વક સમજાવી. ૯મી ઢાળમાં ગૃહસ્થોએ કરેલી દ્રવ્યપૂજાનાં ઉદાહરણો સમજાવ્યાં અને છેલ્લે આ દસમી ઢાળમાં સાતનય સાપેક્ષ તથા નિશ્ચય-વ્યવહારનયની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે અગ્યારમી ઢાળમાં પરમાત્મા શ્રી સીમંધરસ્વામીને ભક્તિભાવે સ્તવના વંદના અને પ્રાર્થના કરતાં નિખાલસપણે હૈયું ખોલે છે. / ૧૦-૯ / દસમી ઢાળ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292