Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 257
________________ ૨૪૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તે પ્રમાણે ૫/૬ ગુણસ્થાનકથી ૧૦ ગુણસ્થાનક સુધી પ્રાથમિક દશામાં સરાગસંયમ ઉપકારક છે અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં વીતરાગસંયમ ઉપકારક છે તેવી જ રીતે ૧ થી ૫ ગુણસ્થાનકવર્તી પ્રાથમિક દશાના ગૃહસ્થ જીવોને દ્રવ્યપૂજા ઉપકારક છે. અને તે જ દ્રવ્યપૂજા ૬ થી ઉપરના ગુણસ્થાકવર્તી જીવોને અકર્તવ્ય છે. તેથી બહુ શુભ ભાવપૂર્વક અર્થાત્ પરમાત્મા પ્રત્યેના ઉપકારીપણાના અતિશય ગુણાનુરાગ પૂર્વક જે ગૃહસ્થો દ્રવ્યપૂજા કરે છે. તે દ્રવ્યપૂજાથી (અલ્પસાવદ્યયોગજન્ય પુણ્યબંધવાળી હોવા છતાં પણ) ઉપયોગની નિર્મળતાના કારણે ગૃહસ્થોનાં પણ કર્મોનો ક્ષય જ થાય છે. બંધ થતો નથી. (અલ્પબંધ અને વિપુલનિર્જરા) થતી હોવાથી બંધ થયાની ગણના કરાતી નથી. મુનિપણાની ક્રિયાથી મુનિનાં પાપો જેમ ધ્રુજે છે. તેમ ગૃહસ્થનાં પાપો પણ આવા પ્રકારની પરમાત્માની પૂજા આદિથી ધ્રુજે જ છે. નાશ પામે જ છે. આ ગૃહસ્થ આત્માઓ આવા પ્રકારની દ્રવ્યપૂજામાં જો જોડાય છે, તો જ તેવા પ્રકારનું મૂર્તિ અને મંદિરોનું તથા તેમાં લયલીન બનેલા જૈન સમાજનું વાતાવરણ જ એવું અસરકારક બની જાય છે કે તે તે ગૃહસ્થોને ઉપયોગની નિર્મળતા અને ભક્તિના ભાવો તરફ, તથા આત્મશુદ્ધિના લક્ષ્યરૂપ ભાવક્રિયા તરફ આ દ્રવ્યપૂજા ખેંચી જાય છે. અર્થાત્ આ દ્રવ્યક્રિયા, તે જીવોને ભાવક્રિયાનું પ્રધાનતમ કારણ બને છે. જો દ્રવ્યપૂજામાં ન જોડાયા હોત તો ગૃહસ્થોનાં જીવન અર્થ-કામ પરાયણ હોવાથી આવા ઉચ્ચતમ ભાવોમાં તે જીવો કદાપિ આવ્યા ન હોત. માટે દ્રવ્યપૂજા એ ભાવક્રિયાનું પ્રધાનતમ કારણ છે એમ સમજીને પણ આ દ્રવ્યપૂજા કરવી જોઈએ. મે ૧૦-૮ | ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીએ ! દ્રવ્ય શબ્દ જે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી એ ૧૦-૯ || ૧૧૩ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292