________________
| અન્યાય સામે અવાજ તમારી અને સરકારની વચ્ચે આ દલાલો (જમીનદારો) ક્યાંથી આવીને બેઠા છે ? એમના બાપદાદા જમીન ખેડવા ગયા હતા કે રળવા ગયા હતા ? કોણે એમના હક્ક યાવચંદ્રદિવાકરી સાબિત કરી આપ્યા છે ? એ સરકારને અમુક જ રકમ આપ્યા કરે અને તમારી પાસેથી લેવાનું મહેસૂલ વધાર્યું જ જાય, એ કોના ઘરનો કાયદો
બારમું ન કરીએ | જમીન ગીરો મૂકીને બાપનું કે માનું બારમું કરે છે, ત્યારે મને તો લાગે છે કે આના કરતાં ખોટું બીજું શું હોઈ શકે ? આ તો તમે લોહી પીઓ છો. પોતાનાં છોકરાંને હંમેશના માટે ભિખારી કરી મૂકો છો. તમે તો એક દિવસ ખાઈ વેરાઈ જાઓ છો, પણ છોકરાંને તો આખો જન્મારો દુ:ખ ભોગવવું | પડે છે. તે છોકરાનું લોહી પીધા બરોબર છે. તે ખાધા કરતાં તો એક દિવસનો ઉપવાસ ન કરીએ ?
દેવું કરીને બારમું કરનાર તો ગાંડો છે. પણ શું આપણેય ગાંડા છીએ ? હું પંચને કહું છું કે આપણે ખોટા ખર્ચ કરી શા માટે બારમું કરીએ ?
જો પૈસા વધારે હોય તો છોકરાંઓને શિક્ષણ આપ, વિઘાલયો સ્થાપો અને સગવડ હોય તો આશ્રમ સ્થાપો. તેમાં જ કલ્યાણ રહેલું છે.
- ૨૦ -
શા સારુ તમે એ કાયદાને માનો છો ? શા સારુ તમારા પેટનો ખાડો પુરાય નહીં ત્યાં સુધી તમે એને કશું આપવાને તૈયાર થાઓ છો ? તમે તારા ખાવા પૂરતું જોઈએ એટલું અનાજ પકવીને બેસી રહોને, એટલે એ લોકોને ખબર પડી જશે
જ્યાં જ્યાં અન્યાય લાગે ત્યાં ત્યાં સામે થાઓ તમારા નેતાઓ સાથે વાતો કરો, સંગઠન કરો એક થાઓ અને દરેક અન્યાયી કર આપવાની ના પાડો.
- ૨૧]