Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 13
________________ { સાચો શિક્ષક (માણસનો ઘડવૈયો) | પહેલાં શિક્ષક એ ગામના હૃદયનો માલિક હતો. ગામના કજિયા પતાવતો, વહેમીનો વહેમ દૂર કરતો. બેકાર માણસને માર્ગ બતાવતો. બાળકને જ્ઞાન આપતો. એ માન જતું રહ્યું અને કૉસ્ટેબલને માન મળ્યું. અને શિક્ષકને ગણ સ્થાન મળ્યું. પટેલ, તલાટી અને શિક્ષક એ ગામના સ્તંભ હોવા જોઈએ. શિક્ષકોએ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં | રાખવું જોઈએ, વ્યસન એ ધનિકોનાં પાખંડ છે, દુર્બળ માણસોનાં લક્ષણ છે. જેને માટલાં ઘડવાનાં નથી, પણ માણસ ઘડવાના છે એને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. બાળકોને સ્વચ્છતાની કેળવણી આપો, એના ઘરમાં પ્રવેશ કરી એનાં માબાપને કેળવણી આપો. સારા શિક્ષકને લોકો માથે લઈ ફેરવશે. સારો શિક્ષક ગામનો પ્રેમ એટલો સંપાદન કરે કે એ જાય ત્યારે ગામ રડવા બેસે. ન આત્માનો વિકાસ | આજે જે કેળવણી આપવામાં આવે છે એ | પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો. કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય. જો ઘરનું વાતાવરણ અનુકુળ ન હોય તો શાળામાં જેટલું ભણે એટલું ઘેર જાય ત્યારે રાત્રે | ભૂલીને આવે. શિક્ષણનો હેતુ શાળા અને ગામ એકબીજાને પૂરક બને, બન્નેને એકતાર કરનાર હોવો જોઈએ. શારીરિક અને માનસિક કેળવણી સાથે સાથે | અપાય એવું હોવું જોઈએ. ગામડાં આજે જે પ્રકારનાં છે એ પ્રકારનાં રહે તો ન બાળકોને | શિક્ષણ આપી શકાય, ન ગામના લોકોને આપી શકાય. ન ૨પ - | ૨૪ -

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41