Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 16
________________ વેરઝેર વીસરીએ | તમે આપેલા ઐહિક વસ્તુઓના આપભોગની સાથે સાથે તમારાં અંતરમાં ત્યાગની ભાવના પેદા થઈ હશે તો દુન્યવી વસ્તુઓની તમારી ખોટ તમને નાસીપાસ કરવાનું કે તમારા આત્માને કુંઠિત કરવાને બદલે તમારી આત્મશુદ્ધિનું સાધન બની જશે અને બીજાઓની સેવા માટે તમને વધુ યોગ્ય અને વધુ સારા બનાવશે. આપણી આફતને પ્રસંગે જૂનાં વેરઝેર. સેવવાનું આપણને નહીં પાલવે. એથી કરીને કલહના મૂળને ઊંડું દાટી દો અને ગઈ ગુજરી ભૂલી જાઓ. અને ટૂંકી નજર રાખી, સ્વાર્થથી આંધળા બનીને જેઓ દમનનીતિના હથિયારરૂપ બન્યા છે તેમને મહેરબાની કરીને તમારાથી અળગા ન રાખશો. તેમના પ્રત્યે પણ મમતા રાખજો. આખરે તો તેઓ આપણા ભાઈઓ જ છે. તેઓ શું કરી રહ્યા હતા તેની તેમને ખબર ન સેવાને બદલે સ્વાર્થ | લાખોએ જેલો ભરી, માલમિલકતની કુરબાની કરી તે શું ગમે તેવા સ્વાર્થસાધુ માણસોને પેસી જવા દેવા માટે હતું ? પરંતુ મને કોઈ બતાવે તો ખરા કે આટલાં બધાં વર્ષ ખુરશીમાં બેસવાનું મળ્યું છતાં હજુ તે છોડાતી કેમ નથી ? સેવા કરવાનો આટલો બધો ઉત્સાહ કેમ ચડી ગયો છે ? લોકો સેવા લેવાની ના પાડે છે તોપણ સેવા કરવાની આટલી બધી હઠ કેમ કરે છે ? એવી કેવી સેવાની ધગશ થઈ છે કે પચાસ પચાસ હજારનું પાણી કરીને પણ સેવા કરવી છે ? આવો મોટો દેશસેવક તો કોઈ ન જોયો ! એને તો મહાત્મા ગાંધી કરતાં પણ મોટો તપસ્વી કહેવો પડશે. એક માણસ બીજા માણસને ગુલામ રાખે એ ગુનો છે. રાખનાર તો ગુનેગાર છે જ, પણ રહેનાર પણ ગુનેગાર છે. જે માણસો ગુલામીને પસંદ કરતા થઈ ગયા છે તેને ગુલામીમાંથી છોડાવવા કઠણ છે. ન ૩૧ નહોતી. - ૩૦ |

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41