Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 136
________________ દીનતાપૂર્વક યાચના કરવી પડશે. યાચના કરવા છતાં નહીં મળે તો રોષ યા રુદન થશે. મળી જશે તો રાગ અને રતિ થશે ! આ બધામાં આત્મા અને પરમાત્માની વિસ્મૃતિ થઈ જશે.’ આ રીતે નુકસાનો વિચારીને સ્પૃહાની વાસના નિર્મૂળ કરવાની. ->Yenews ૪. જીવનમાં જેમ બને તેમ પરપદાર્થોની આવશ્યકતા ઓછી જ રાખવાની. ૫૨૫દાર્થોની વિપુલતામાં પોતાની મહત્તા યા મૂલ્યાંકન ન કરવું. પ૨પદાર્થોની અલ્પતામાં પોતાની મહત્તા સમજવી. ૫. નિ:સ્પૃહ આત્માઓનો પરિચય વિશેષ રાખવો. નિઃસ્પૃહ યોગીશ્વરોનાં જીવનચરિત્રોનું વારંવાર પરિશીલન કરવું. ૬. આવશ્યક પદાર્થોની પણ એટલી સ્પૃહા ન કરવી કે જેની પાછળ તમારે દીનતા કરવી પડે. કદાચ ન મળે તો તેના વિના ચલાવી લેવાનું તપોબળ કેળવવું જોઈએ. સહનશક્તિ કેળવવી જોઈએ. ૭. જ્ઞાનમાર્ગનો સહારો લઈને વિષયોની લાલસાને કાબૂમાં રાખી શકો. જ્ઞાનમાર્ગનો સહારો એટલે જડ અને ચેતનના ભેદનું યથાર્થ જ્ઞાન હોવું. તૃષ્ણાજન્ય અશાન્તિની અકળામણ હોવી. સ્પૃહાની પૂર્તિથી થનારાં સુખો પ્રત્યે ઉદાસીન રહો. ૮. હું આત્મા... ચૈતન્ય સ્વરૂપ છું. મારે અને જડ-પૌદ્ગલિક પદાર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. મારે શા માટે એની સ્પૃહા કરવી ? ૯. જડપદાર્થોની સ્પૃહા કરવા જતાં ચિત્ત અશાંત બને છે. સ્વભાવમાંથી પરભાવમાં જવાય છે, સ્પૃહા કરવા જતાં પદાર્થો જ્યારે મળતા નથી ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાો દ્વારા એ સ્પૃહાને પૂર્ણ કરવાની ઇચ્છા થાય છે. અશાન્તિ તીવ્ર બની જાય છે. માટે હવે એ જડ પદાર્થોની ઇચ્છા જ નથી કરવી.' ૧૦. સ્પૃહા પૂર્ણ થઈ જાય છે તો પ્રાપ્ત થયેલા પદાર્થો પર ગાઢ આસક્તિ થઈ જાય છે. તેના સંરક્ષણ માટે ચિંતાઓ જાગે છે. આત્માના સુખી કોણ ? તૃષ્ણારહિત ૧૧૯

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198