Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 180
________________ ૪૧. સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં શિષ્ય : ‘ગુરુદેવ, સુખ શામાં છે ?’ ગુરુ : ‘વત્સ, સર્વ સંગના પરિત્યાગમાં સુખ રહેલું છે.’ આજે મારે જે સુખની વાત કરવી છે તે શારીરિક કે ભૌતિક સુખોની વાત નથી. એ છે મનના સુખની વાત ! એ છે આત્માના સુખની વાત ! પાંચ ઇન્દ્રિયોનાં વૈષયિક સુખો, વૈષયિક સુખનાં સાધનો તો શ્રીમંતો પાસે ઘણાં હોય છે, દેવલોકના દેવેન્દ્ર પાસે ઘણાં હોય છે, છતાં એમની પાસે મનનું સુખ હોતું નથી, મનની શાન્તિ હોતી નથી. ધર્મગ્રંથોમાં જે ચક્રવર્તી રાજાઓનું વર્ણન આવે છે, જે દેવલોકના ઇન્દ્રોનું વર્ણન આવે છે, તે વર્ણન વાંચતાં એ લોકોનાં વૈયિક સુખોનો ખ્યાલ આવે છે. અપાર ને અપૂર્વ સુખવૈભવો જોઈને દુનિયાને લાગે કે આ ને દુનિયામાં શ્રેષ્ઠ સુખી તો આ જ ચક્રવર્તીઓ હશે... દેવેન્દ્રો જ હશે ! એમનાં સુખોથી ચડિયાતાં સુખ આ દુનિયામાં કોઈની પાસે ન હોય ! વર્તમાનકાળે પણ દુનિયાના અબજોપતિઓના સુખવૈભવો જોઈને લોકો બોલે છે - ‘કેવા સુખી માણસો છે ! કેટલો વિપુલ વૈભવ ! કેવી અપૂર્વ સાહ્યબી ! કેવું સુખી જીવન !' માત્ર બાહ્ય દૃષ્ટિથી જોનારા ને વિચારનારા માણસો ‘સુખ'ની કલ્પના ભૌતિક સુખનાં સાધનોના આધારે કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. આજે આપણી દુનિયામાં ચક્રવર્તી રાજા નથી, વાસુદેવ કે બળદેવ નથી. જો એ હોત અને આપણે એમને પૂછત કે ‘તમે સુખી છો ? તમે નિર્ભય છો ? તમે નિશ્ચિંત છો ?’ તો જવાબ મળત કે ‘અમારી પાસે સુખનાં સાધન છે પરંતુ અમે નિર્ભય નથી, નિશ્ચિત નથી માટે ખરેખર અમે સુખી નથી. અમને મળેલાં ભૌતિક સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં ૧૬૩

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198