Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 154
________________ સરન, GYA પહેલાં તમે નક્કી કરો કે તમારે શાસ્ત્રજ્ઞાન મળવવું છે ? “શાસ્ત્રજ્ઞાન વિના આત્મકલ્યાણની 'ટઆરાધના શક્ય નથી,' આ વાત તમે માનો છો ? અને કે “આ માનવજીવનમાં મારે આત્મકલ્યાણ સાધી જ લેવું છે,' Wઆવો તમારો દઢ નિરધાર છે? તમારે એવા સદ્ગુરુ શોધવા જોઈએ કે જે તમને શાસ્ત્રજ્ઞાન આપે. શાસ્ત્રોમાં કહેલો મોક્ષમાર્ગ બતાવ. પરંતુ તે માટે તમારે તમારી યોગ્યતા, પાત્રતા સિદ્ધ કરવી પડે. ગુરુની દૃષ્ટિમાં તમારે વિનીત બનવું પડ. ગુરુની દૃષ્ટિમાં તમારે શાન્તપ્રશાન્ત-ઉપશાન્ત બનવું પડે. તો ગુરુ તમારા પર ખુશ થાય ! તમારામાં વિનયગુણ પ્રગટશે એટલે તમે સ્વયં ગુરુની ચરણસેવામાં પ્રવૃત્ત થશો. ગુરુદેવના પુણ્યદેહને કેમ શાન્તિ રહે, સુખાકારિતા રહે, એ રીતે તમે સેવા કરવાના. તમે તેમના મિજાજને ઓળખી લેવાના. તેમને અણગમતી પ્રવૃત્તિ તમે નહીં કરવાના. તમે સતત ખ્યાલ રાખવાના કે ગુરુદેવને શું પ્રિય છે, શું અપ્રિય છે.' તમે પ્રિય આચરવાના. અપ્રિય નહીં આચરવાના. ગુરુને ખુશ કરવાનો, ખુશ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય વિનય' છે. વિનયનો અભુત પ્રભાવ છે. અવનવો જાદુ છે. દુનિયાના કોઈ મોટા જાદુગર આવો ચમત્કાર સર્જી શકતા નથી ! શત્રુને પણ મિત્ર બનાવનાર વિનય છે. ઉજ્જડ વેરાન બની ગયેલી જિંદગીને નવપલ્લવિત કરનાર વિનય છે. તૂટી ગયેલા, બગડી ગયેલા સંબંધોને જીવંત કરનાર વિનય છે. માટે કહું છું કે ગુરુનો વિનય કરી ગુરુને ખુશ રાખો. ખુશ થયેલા ગુરુ તમને ભવપાર ઉતારી દેશે. વિનય અને બહુમાનના દિવ્ય ગુણો તમારા મતિજ્ઞાનની વૃદ્ધિ કરશે. બુદ્ધિની વૃદ્ધિ કરશે. તે બુદ્ધિ તમને ગુરુઆરાધનામાં નિપુણ બનાવશે. ગુરુના મનોગત ભાવોને જાણવામાં વિચક્ષણ બનાવશે. ગુરુ પાસેથી મળતા શાસ્ત્રજ્ઞાનને ગ્રહણ કરવામાં અને સમજવામાં દક્ષ બનાવશે. ગુરુકૃપા તમારા શાસ્ત્રજ્ઞાનમાં નિરંતર વૃદ્ધિ કરશે. કોને ખુશ કરવા ? સ્વાત્માન, સગુન ૦ ૧૩૭

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198