Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 157
________________ છે. મારે આજે એમની એ લોકોની વાતાં કરવી છે કે જેમને લાખો કરોડો અને અરબો રૂપિયા ભેગા કરવા છે, કરી રહ્યા છે. કરોડપતિ બનવાની હોડ લાગી છે. ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડ... ૧૦૦૦ કરોડ રૂ. પણ ઓછા પડે છે ! આવા માણસો અને લાખો રૂપિયા કમાઈ લેવાની દોડધામ કરી રહેલા શૂરવીરોની હાયવોય... અજંપો અને ઉદ્વેગ જોવા જેવો હોય છે ! પરિગ્રહથી સ્થાવર-જંગમ સંપત્તિનું તીવ્ર મમત્વ એમને સતત ટેન્શનમાં રાખે છે. ઘણુંબધું સરકારથી બચાવવાની ચિંતા ! ગુંડાઓથી બચાવવાની ચિંતા ! કમાવાની તો ચિંતા ખરી જ, કમાયેલા ધનને સુરક્ષિત રાખવાની ચિંતા ! એમાંય કોઈ પાર્ટીનું ઉઠમણું થઈ જાય ને એમાં તમારા પાંચ-પચીસ લાખ ગયા હોય તો તમારી ઉદ્વિગ્નતાનો પાર નથી રહેતો. તીવ્ર મમત્વથી પ્રેરાઈ, એ પૈસા વસૂલ કરવા ખોટા માર્ગ અપનાવાય છે ! વાસ્તવમાં તો મમત્વ જ પરિગ્રહ છે. ધનમૂર્છા મમત્વ છે. ‘આ ધન મારું. આ બંગલો મારો. આ જમીન મારી... આ ઑફિસ મારી., આ ગોડાઉનો મારાં...' આ મમત્વનું ગાઢ બંધન વિનાશ વેરે છે. માટે જ્ઞાની પુરુષો ‘પરિગ્રહનું પરિમાણ' કરવાનું વ્રત લેવા કહે છે. તમે મર્યાદા બાંધો. સ્થાવર-જંગમ સંપત્તિની સીમા બાંધો. “મારે ૧૦ લાખથી વધારે સંપત્તિ ન રાખવી. કે ૨૦ લાખથી વધારે ન રાખવી. અરે, બહુ જ તૃષ્ણા હોય તો એક કરોડથી વધારે ન રાખવી. કરોડથી વધારે સંપત્તિ આવી જાય તો સારાં પારમાર્થિક કાર્યોમાં વાપરી નાંખવાની !” દેરાસર બંધાવી શકો. ઉપાશ્રય બંધાવી શકો. તીર્થમાં ધર્મશાળા બંધાવી શકો. ગરીબો માટે સદાવ્રત ખોલી શકો. વિહારનાં ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીની ભક્તિ કરી શકો. ૧૪૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198