________________
૩૪
સાંપ્રત સહચિંતન- ભાગ ૧૦
વિનંતી કરેલી કે થોડી વાર માટે પણ જો સાથે સાથે સાયલાની મુલાકાત ગોઠવાય તો જરૂર ગોઠવી આપવી. તે ગોઠવાઈ અને એકાદ કલાક માટે સાયલાના આશ્રમમાં જવાની અને બાપુજીને મળવાની તક મળી. બાપુજી તે વખતે સાધકનિવાસની એક રૂમમાં સાંજ સુધી રોકાતા. અમે સાયલા ગયાં ત્યારે મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતા પણ ત્યાં જ હતા. બાપુજી સાથે અમારે ત્યારે અંગત સરસ પરિચય થયો હતો.
. એક દિવસ દાંતના ડૉક્ટર ડૉ. જીતુભાઇ નાગડા બહેન મીનળને લઈને મારે ઘરે આવ્યા. ડૉક્ટરે પરિચય કરાવ્યો. મીનળે વાત કરી. કામ હતું બાપુજીએ કરાવેલા સ્વાધ્યાયની કેસેટ ઉપરથી પોતે ડાયરીઓમાં જે ઉતારો કર્યો છે તેને છપાવવા માટે સુધારી આપવાનું. spoken Word અને Written Word વચ્ચે ઘણો ફરક હોય છે. પુનરુચ્ચારણો કાઢી નાખી, વાક્યરચના સરખી કરી, જોડણી સુધારી વ્યવસ્થિત લખાણ કરવામાં ઠીક ઠીક સમય લાગે એવું હતું. સામાન્ય રીતે આવાં કામ કરવાનું મને ગમે નહિ કે ફાવે નહિ, તો પણ ડૉક્ટર અને મીનળના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ એ કાર્ય મેં સ્વીકાર્યું, પરંતુ મુંબઈના વ્યસ્ત જીવનમાં દોઢ વર્ષ સુધી એ કાર્ય થઈ શક્યું નહિ. કેટલાંક શંકાસ્થાનો વિશે બાપુજીને પૂછાવવાનું પણ થતું. પરંતુ એક દિવસ બહેન મીનળે સૂચન કર્યું કે જો હું સાયલા આશ્રમમાં જઈને રહું તો જે કંઈ પૂછવું હોય તે બાપુજીને તરત પૂછી શકાય અને કામ આગળ ચાલે. બહેન મીનળનું એ સૂચન ગમ્યું. મારાં પત્ની અને હું સાયલા ગયાં. આ ઉપાય સફળ નીવડ્યો. ટેલિફોન નહિ, ટપાલ નહિ, છાપું નહિ, મુલાકાતીઓ નહિ, વ્યાવહારિક અવરજવર નહિ, એટલે કામ ઝડપથી થયું. પછી તો જ્યારે જ્યારે સાયલા જવાનું નક્કી કરીએ એટલે બહેન મીનળ ચીવટપૂર્વક બધી
ગમ્યું. એ
સફળ
૧ર નહિ. Sાયું નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org