________________
૮૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
વિનયરું મૂષા, શુશ્રુષારં શ્રુતજ્ઞાનમ્ | ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्रव निरोध : ॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥ योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥
અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રષા છે. ગુરશુશ્રષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે.
આ માટે જ “તસ્વામૃતમાં કહ્યું છે ? ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराङ्मुखः ॥
(વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.)
आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च । मा पुनम्रियमाणस्स पश्चात्तापो भविष्यति ॥ (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org