Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ તુલનાત્મક તારતમ્ય અને અન્યના અભિપ્રાયોની પૂર્વગ્રહરહિત ચકાસણી વગેરે શોધપ્રબંધનાં મહત્ત્વનાં લક્ષણો છે. વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા, વીસથી વધુ રાસકૃતિઓ, પ૫૦થી અધિક પદો તથા ચોવીસી, છત્રીસી, સંવાદ વગેરે પ્રકીર્ણ પ્રકારની કૃતિઓના રચયિતા, નાનો તે સૌક્યમ્ એ આઠ અક્ષરોના આઠ લાખથી વધુ અર્થ કરી બતાવનાર (આ “અષ્ટલક્ષી ગ્રંથ “અનેકાર્થરત્નમંજૂષા'ના નામથી ૧૯૩૩માં સૂરતના દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર સંસ્થા તરફથી પ્રગટ થયો છે), સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત, મોગલ બાદશાહ અકબરના દરબારમાં ખ્યાતિ પામનાર, પચાસથી વધુ શિષ્યો-પ્રશિષ્યો ધરાવનાર કવિવર સમયસુંદરનું ગુજરાતી (અને રાજસ્થાની) સાહિત્યના ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે. એમની ઘણી કૃતિઓ હવે પ્રકાશિત થઈ ચૂકી છે. કેટલીક હજુ અપ્રકાશિત છે. એમની તીર્થમાળના પ્રકારની સ્તવનરચના જૈન મંદિરોમાં અને પદ્માવતી રાણીની આલોયણા નામની રચના પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓમાં આજ દિવસ સુધી જૈનોમાં ગવાતી આવી છે એ એની મૂલ્યવત્તાની પ્રતીતિ કરાવે છે. આ શોધપ્રબંધમાં લેખકે આરંભમાં જ સમયસુંદરના જીવન વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. સદ્ભાગ્યે સમયસુંદર વિશે ઠીક ઠીક માહિતી એમની કૃતિઓમાંથી અને એમના વિશે લખાયેલાં ગીતોમાંથી ઉપલબ્ધ થાય છે. જૈન સાધુઓ પોતાના પૂર્વાશ્રમની એટલે કે દીક્ષા લીધા પહેલાંના જીવનની વાત જવલ્લે જ કરતા હોય છે. એટલે સમયસુંદર વિશે પણ એવી માહિતી ખાસ ન સાંપડે એ સ્વાભાવિક છે. પરંતુ સાધુકવિઓની કૃતિઓમાંથી એમની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરા વિશે, એમના ચાતુર્માસનાં વર્ષ અને સ્થળ વિશે, વિહારનાં સ્થળો વિશે, દીક્ષામહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178