Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 154
________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૪૫ પ્રકૃતિ પણ નહિ. તે દરમિયાન તેઓ પ. પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજ અને સિદ્ધાંત મહોદધિ ૫. પૂ. શ્રી પ્રેમસૂરિ મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. બંનેના તેઓ કૃપાપાત્ર બન્યા હતા. બંને પાસેથી એમણે સારું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી તેઓ પ. પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને મળ્યા હતા. તેઓ પંન્યાસજી મહારાજને પોતાના ગુરુ તરીકે માનતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા. પનાભાઇને ધાર્મિક વિષયમાં રસ હતો. એમની સતા વધતી જતી હતી. એટલે એમણે વ્યવસાય તરીકે ધાર્મિક વિષય ભણાવવાનું ચાલુ કર્યું. જુદાં જુદાં ઘરોમાં એમને એ પ્રકારનું કામ મળી રહેતું. પોતે એકલા હતા એટલે બહુ મોટી આવકની જરૂર પણ નહોતી. મુંબઈમાં ગોળદેવળ પાસે એક ચાલીની ઓરડીમાં તેઓ રહેતા અને અલગારી જીવન જીવતા. પનાભાઈ આજીવન બાળબ્રહ્મચારી હતા. એમની યોગસાધના વાણી ઊંચી કોટિની હતી. પદ્માસનમાં તેઓ ઘણા કલાક સુધી બેસી થાક્તા. એમણે ઉપધાન તપ કર્યા હતાં. દસ વર્ષ સુધી એમણે એકાસણાં કયાં હતાં. પર્યુષણમાં તેઓ ચોસઠ પહોરી પૌષધ કરતા. એમણે ગજુ પદનો સળંગ જાપ સુદીર્ઘ કાળ સુધી કર્યો હતો. એથી એમની ચેતના શક્તિ કુંડલિની જાગ્રત થઈ હતી. એમના અત્યંત નિકટના પરિચયમાં આવનારને આ કોઈ બ્રહ્મજ્ઞાની મહાત્મા છે એવો ભાસ થયા વગર રહે નહિ. એકાસણાની તપશ્ચર્યા પછી પણ જીવનના અંત સુધી તેઓ પ્રાયઃ સવારે એક જ સમય આહાર લેતા અને સાંજે એક ગ્લાસ દૂધ લેતા. આયંબિલ કરવાની શક્તિ રહી ત્યાં સુધી દર મહિને એક આયંબિલ કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178