Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩ર. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦. વર્ણન કરવાનું સ્વીકાર્યું કે જેથી ફાગુની અંદર વસંતઋતુનું વર્ણન સંભવી શકે. આ રીતે આ કાવ્યમાં વસંતના વર્ણન વડે “ફાગુ' નામને કવિએ સાર્થક કર્યું છે. આ ફાકાવ્યમાં કવિએ વિરહિણી નાયિકાની અવસ્થા અને માનસિક વ્યથાનું જીવંત નિરૂપણ થયું છે. આ નિરૂપણમાં કોઇ ધાર્મિક કે સાંપ્રદાયિક પ્રભાવ પડ્યો નથી. એટલે નિર્ભેળ કાવ્યકલાની દષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. એથી જૈન-અજૈન એવી સર્વ ફાકૃતિઓમાં તે મહત્ત્વનું સ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વસંત ઋતુમાં નાયિકાનો વિરહ વધવાનાં નિમિત્તોનું વર્ણન કરતાં કવિ લખે છે : વનસ્પતી સવિ મોહરી રે, પસરી મયણની આણ; વિરહીનઈ કાંઉ કહેલ કરઇ, કોયલિ મૂકઈ બાણ. તરુવર વેલિ આલિંગન, દેષિય સીલ સલાય; ભરયૌવન પ્રિય વેગલ, ખિણ ન વિસરિઓ જાઈ. પોતાના હૃદયમાં વસેલા સ્થૂલિભદ્ર માટેનો કોશાનો પ્રેમ એટલો બધો ગાઢ છે કે દિવસ રાત વિરહણી કોશાને સ્થૂલિભદ્રના જ વિચારો આવે છે. રાતના ઊંઘ આવે એટલી વાર જ તે વિસરાય છે. પણ પાછું સ્વપ્ન ચાલુ થતાં એમાં સ્થૂલિભદ્ર જ દેખાય છે. તે પોતાના સ્વપ્નનો અનુભવ વર્ણવતાં કહે છે : તે સાજન કિમ વીસરાઈ જસ ગુણ વસિયા ચિંતિ, ઊંઘમાંહિ જુ વીસરાઇ, સુહણામાંહિ દીસંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178